ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ: 12 માર્ચે PM મોદી કરી શકે છે ભૂમિપૂજન
Gandhi Ashram Memorial project: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરે તેવી શક્યતા છે. આ સાથે એવું માનવામાં આવે છે કે, લોકસભાની આગામી સામાન્ય ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા તે પછી થઈ શકે છે.
12 માર્ચથી, કાર્ગો મોટર્સ અને બત્રીસી ભવન વચ્ચે ગાંધી આશ્રમની સામે અને તેની આસપાસના આશ્રમ રોડનો વિસ્તાર વાહનોની અવરજવર માટે બંધ રહેશે. જે સ્ટ્રેચ કાયમી ધોરણે ટ્રાફિક માટે બંધ કરવામાં આવનાર છે, તેની લંબાઈ લગભગ 500 મીટર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્થાયી સમિતિએ તેની બેઠકમાં આ રોડને કાયમી ધોરણે બંધ કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. વૈકલ્પિક માર્ગ પ્રબોધ રાવલ પુલ અને પરીક્ષિતલાલ પુલ વચ્ચે બનેલ નવો રોડ હશે.
ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટની સીધી દેખરેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં તેમના વિશ્વાસુ સહાયક કે કૈલાશનાથન કરે છે. અગાઉ 22મી ફેબ્રુઆરીએ PMની મુલાકાત દરમિયાન ભૂમિપૂજન થવાનું હતું, પરંતુ બાદમાં નવી તારીખ 12 માર્ચ નક્કી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
