Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ganesh Visarajan 2025 : ગણેશ વિસર્જનના દિવસે અમદાવાદના આ રસ્તા બંધ રહેશે

Ganesh Visarajan 2025 : ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં કેટલાક રસ્તાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય ગણેશ ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. વિસર્જનના દિવસે બપોરના 1 વાગ્યાથી અમદાવાદના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે.

Ganesh Visarajan 2025

કયા રસ્તાઓ બંધ રહેશે?

  • સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ, બંને તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
  • શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફના રસ્તાઓ બંધ રહેશે.
  • પાલડીથી ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન અને ખમાસાથી એલિસબ્રિજ તરફના રસ્તાઓ પર પણ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
  • ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ અને સારંગપુરથી કાલુપુર તરફનો માર્ગ પણ બંધ રહેશે.
  • રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ અને ગુરુદ્વારા તરફનો રસ્તો પણ બંધ રહેશે.

શહેરના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત AMTS બસ સેવાના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને બિનજરૂરી રાહ ન જોવી પડે. નાગરિકોને અપીલ છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા વૈકલ્પિક રસ્તાઓ વિશે માહિતી મેળવી લે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X