IIT ગાંધીનગર ખાતે ફેઝ 1Bનું શૈક્ષણિક ભવન સમર્પિત કરશે PM મોદી
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ખાતે તબક્કા 1 B ની શૈક્ષણિક ઇમારતો વીડિયો કોન્ફરન્સ દ્વારા સમર્પિત કરશે.
વડાપ્રધાન IITGN ખાતે વિદ્યાર્થી છાત્રાલયો અને સ્ટાફના રહેઠાણોનો શિલાન્યાસ પણ કરશે. ફેઝ 2 A હેઠળ બાંધવામાં આવશે. ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત IIT ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમ માટે વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. IITGN ની શૈક્ષણિક ઇમારતોમાં વિદ્યાર્થીઓ માટે સંસ્થા પુસ્તકાલય અને કેટલાક વર્ગખંડો છે.
ફેઝ 2 A સ્ટાફ આવાસમાં 183 એકમોનો સમાવેશ થશે, જેમાં કુલ 35,000 ચોરસ મીટરના બિલ્ટ-અપ વિસ્તારનો સમાવેશ થશે. વધુમાં, આ તબક્કાના ભાગરૂપે આશરે 36,000 ચોરસ મીટરના કુલ બિલ્ટ-અપ વિસ્તાર સાથે, આશરે 1200 વિદ્યાર્થીઓને સમાવવા માટે ડિઝાઇન કરાયેલ છાત્રાલયો બાંધવામાં આવશે.












Click it and Unblock the Notifications
