Navratri 2024: નવરાત્રી દરમિયાન મહિલાઓ રહેશે સુરક્ષિત, બજરંગ દળે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Navratri 2024, Ahmedabad: વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ દ્વારા અમદાવાદમાં નવરાત્રી 2024 દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેરા ભાઈ નામની હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે, જેનો નંબર 8735873595 છે.
બજરંગ દળના જણાવ્યા અનુસાર, જો કોઈ મહિલાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તે આ નંબર પર કોલ કરી શકે છે, અને તેમને 10 મિનિટમાં મદદ પૂરી પાડવામાં આવશે.

જો કોઈ મહિલાને છેડતી કે અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તે આ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ લઈ શકે છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 મહિલાઓ સહિત 200 કાર્યકરોની આઠ ટીમો બનાવવામાં આવી છે, જેઓ ગરબા રમીને મોડી રાત્રે ઘરે પરત ફરતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિસ્તારોમાં સક્રિય રહેશે.
વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા એમ પણ જણાવ્યું હતું કે, તેઓ લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે બિન-હિન્દુ લોકોને ગરબા પંડાલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
