For Daily Alerts
અણ્ણા સંબંધ તોડી નાખશે એવી આશા ન્હોતી: કેજરીવાલ
કેજરીવાલે જણાવ્યું કે તેમને અણ્ણા હઝારે પાસે આવા નિર્ણયની આશા ન હતી. કેજરીવાલે જણાવ્યું કે અણ્ણા હઝારેના આવા વલણથી મને ઝટકો લાગ્યો છે.
અણ્ણા હઝારેએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે કેજરીવાલને પાર્ટી બનાવવી હોય તો બનાવે હું તેમની સાથે નથી, અને તેમના માટે પ્રચાર પણ કરવાનો નથી. અણ્ણાએ તો ત્યાં સુધી કહી દીધું કે કેજરીવાલ અને તેમની ટીમ પ્રચાર માટે મારું નામ અને તસવીરનો પણ ઉપયોગ ના કરે.
જોકે કેજરીવાલે જણાવ્યુ કે અણ્ણા અમારા હૃદયમાં છે અને અમે તેમને દરેક પ્રસંગે બોલાવીશું.
Comments
arvind kejriwal anna hazare team anna india against corruption politics અણ્ણા હઝારે અરવિન્દ કેજરીવાલ રાજનૈતિક પક્ષ
English summary
Key India Against Corruption (IAC) activist Arvind Kejriwal on Thursday said that social activist Anna Hazare's decision to part ways with his erstwhile close aides is shocking, unexpected and regretful.