ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 13 થઈ જેમાં 12 વિદેશથી આવેલા ભારતીયો
ગુજરાતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. જેમાં અમદાવાદના 5, વડોદરાના 3, સુરતના 3, એક ગાંધીનગર અને એક રાજકોટનો કેસ પૉઝિટીવ આવ્યો છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ કે કોરોના વાયરસના 13 કેસ પૉઝિટીવ છે જેમાંથી 12 વિદેશથી આવેલા ભારતીયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ઉલ્લેખનીય છે કે 13માંથી 5 કેસ અમદાવાદના છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યમાં બાગ બગીચા, સિવિક સેન્ટરો સહિત તમામ જાહેર સ્થળો 31 માર્ચ સુધી બંધ કરાયા છે.
આ પહેલા અમદાવાદમાં એક જ દિવસમાં 3 પૉઝિટીવ કેસ સામે આવ્યા હતા જેમાં 2 મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના બે રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી અને બીજી મહિલા ફિનલેન્ડથી અને યુવક લંડનથી આવ્યો હતો.
વડોદરામાં જેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો તેમાંથી એક યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગે માહિતી આરોગ્ય વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કરાઈ છે. અગાઉ આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યુ છે કે અત્યાર સુધી ગુજરાતમાં જે પણ કોરોના પૉઝિટીવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટીક સિટિઝન પૉઝિટીવ કેસ નથી.
કોરોના પૉઝિટીવ કેસની બંને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે.એક ન્યૂયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે યુવક લંડનથી પરત ફર્યો હતો. ન્યૂયોર્કથી આવેલી મહિલા 14 માર્ચે આવી હતી. 3 દિવસ ઘરે રહ્યા બાદ 17 માર્ચે એસવીપીમાં દાખલ થઈ હતી. જ્યારે ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદમાં 13 માર્ચે આવી હતી અને 16મી માર્ચે એસવીપીમાં દાખલ થઈ હતી.
આ પણ વાંચોઃ કોરોના વાયરસની સ્થિતિ સારી બતાવવા ચીન રજૂ કરી રહ્યુ છે ખોટા આંકડા!