26 June Covid Update : જાણો ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 419 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 218 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
26 June Covid Update : ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 419 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 218 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 170, સુરતમાં 84 કેસ, વડોદરામાં 38 કેસ, ભાવનગરમાં 33 કેસ, વલસાડમાં 13 કેસ, જામનગરમાં 10 કેસ, નવસારીમાં 8 કેસ, અમરેલીમાં 8 કેસ, ગાંધીનગરમાં અને રાજકોટમાં 12-12 કેસ નોંધાયા છે.
આ સાથે મહેસાણા અને પાટણ 5-5 કેસ, અને કચ્છમાં 4 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા, ખેડા અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ નોંધાયા છે. મોરબી અને અમરેલીમાં 2 -2 કેસ નોંધાયા છે. તેમજ આણંદ, ભરૂચ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.
કુલ 11,12,06,319 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,16,46 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા2299 થઇ છે. જેમાંથી 2 ની હાલત ગંભીર છે, જ્યારે 2297 ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.92 ટકાછે.
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 43,049 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,12,06,319 કોરોનાવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
26 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 166 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 4 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે શહેરી વિસ્તારમાં 129 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 6697 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1027 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
26 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથેશહેરી વિસ્તારમાં 3 અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં1316 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 945 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
26 June ની ભારત કોરોના અપડેટ
આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, રવિવારની સવારે 8 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ભારતમાં કોરોનાઅપડેટ 11,739 નવા પોઝિટિવ કેસ અને 25 કોવિડ સંબંધિત મોત નોંધાયા છે.
નવા પોઝિટિવ કેસોમાં પાછલા દિવસના 15,940 નવા કેસોકરતાં ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 92,576 થઇ છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના જણાવ્યા અનુસાર, શનિવારના રોજ ભારતનું કુલ રસીકરણ કવરેજ 197 કરોડ સીમાચિહ્નરૂપ સીમાચિહ્નને વટાવીગયું છે.
શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 11 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ-19 રોગચાળાસામેની લડતમાં સફળતાપૂર્વક આગળ વધ્યું છે. દેશે "જાહેર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે એક મજબૂત અને મજબૂત પદ્ધતિ"વિકસાવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ ઉમેર્યું હતું કે, "દેશ કોરોના મહામારીના સંચાલનમાં સફળતાપૂર્વક ઉભરી આવ્યો છે."