ગુજરાત 2002 દંગાના વધુ 26 આરોપીઓને છોડી મુકાયા, 12 લોકોની હત્યાનો આરોપ હતો
નવી દિલ્હી : ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલી હિંસાની સતત ચર્ચા થઈ રહી છે. આટલા વર્ષો પછી પણ ઘટનાના દાગ ભુંસાયા નથી ત્યારે હવે વધુ એક ઘટના સર્જાતા ચર્ચા શરૂ થઈ છે. વિગતો અનુસાર, ગોધરાકાંડ બાદની હિંસામાં 12 લોકોની હત્યાના આરોપમાં જેલમાં રહેલા 26 જેટલા આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા છે. આ કેસમાં 26માંથી 13 લોકો જેલમાં જ મોતને ભેટ્યા છે. આ સિવાયના આરોપઓ હવે પુરાવાના અભાવે જેલમાંથી બહાર આવશે.

આ ઘટના પંચમહાલ જિલ્લાની છે. પંચમહાલના હાલોલની કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાની કોર્ટે પુરાવાના અભાવે હત્યા, ગેંગરેપ અને રમખાણોના આરોપમાંથી 26 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, આ કેસના કુલ 39 આરોપીઓમાંથી 13ના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયા છે. આરોપીઓ કથિત રીતે 27 ફેબ્રુઆરીએ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ ચાંપનાર ટોળાનો ભાગ હતા. આ ઘટના બાદ બંધના એલાન દરમિયાન 1 માર્ચ, 2002ના રોજ કોમી રમખાણોમાં ઉપદ્રવ કર્યો હતો. 2 માર્ચના રોજ કલોલ પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, ફરિયાદી પક્ષે 190 સાક્ષીઓ અને 334 દસ્તાવેજો રજૂ કરાયા હતા. કોર્ટે કહ્યું કે આ પુરાવા ઓછા પડી રહ્યા છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ છે. 20 વર્ષ જૂના કેસમાં પુરાવાના અભાવે આ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવી રહ્યા છે.
ઘટના પર નજર કરીએ તો, 1 માર્ચ 2002ના રોજ કલોલમાં બે સમુદાયના 2 હજારથી વધુ લોકોએ હિંસા કરી હતી. આ ટોળાએ હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી આગ લગાવી હતી. આ દરમિયાન એક ઘટનામાં 38 લોકો પર હુમલો કરી 11 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ તમામ લોકો ડેલોલ ગામથી કલોલ તરફ આવી રહ્યા હતા. અન્ય એક મહિલાએ ભાગવાનો પ્રયાસ કરતા તેના પર સામૂહિક બળાત્કાર કરાયો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
