For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)એ જણાવ્યું હતું કે, બુધવારની બપોરે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું ન હતું.

|
Google Oneindia Gujarati News

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)એ જણાવ્યું હતું કે, બુધવારની બપોરે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું ન હતું.

earthquake

નાના ધરતીકંપનું કેન્દ્ર વલસાડથી 46 કિમી પૂર્વ-ઉત્તર પૂર્વમાં હતું અને તે 9 કિમીની ઊંડાઈએ બપોરે 12.46 કલાકે આવ્યો હતો, ISR એ તેની વેબસાઇટ પર અપડેટમાં જણાવ્યું હતું.

વલસાડ જિલ્લા વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, 2001માં તે જ તારીખે ગુજરાતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ પાસે હતું.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 2001ના ભૂકંપમાં 13,800 લોકો માર્યા ગયા હતા અને અન્ય 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

English summary
3.2 magnitude earthquake in Valsad district, no casualties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X