ત્રણ નિવૃત આઇપીએસ ભાજપમાં જોડાયા
ભાજપમાં જોડાયેલા નિવૃત અધિકારીઓ અંગે વાત કરીએ તો નિવૃત ડીઆઇજી કે.ડી. પાટડિયા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે અને તેઓ પાટડી બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડે તેવી સંભાવનાઓ છે. સ્વેચ્છિક નિવૃતિ લેનારા બી.ડી. વાધેલા ઝાલોદના વતની છે, ઝાલોદ બેઠક કોંગ્રેસની પરપરાગત બેઠક હોવાથી વાઘેલાને આ બેઠક પરથી ઉભા રાખવામાં આવે તેવી ચર્ચા થઇ રહી છે, જ્યારે નિવૃત ડીઆઇજી બી કે શ્રીમાળીએ પક્ષના કાર્યકર તરીકે કામ કરવાની તત્પરતા દર્શાવી છે.
ભાજપના જૂના કાર્યકર નડિયાદના ડો કે.ડી. જેસ્વાણી 2001માં નરેન્દ્ર મોદી આવ્યા બાદ કેશુભાઇના જૂથમાં સક્રિય હતા. 2007માં સામુહિક બળવામાં તેમણે ભાજપ છોડ્યું હતુ. કેશુભાઇ પટેલે પરિવર્તન પાર્ટી લોન્ચ કરતા તેઓ તેમાં જોડાયા હતા. પાર્ટી છોડવા અંગે તેમણે જણાવ્યું છે કે પાર્ટીમાં પરિવારવાદ, વ્યક્તિવાદ અને સંકુચિતતા વ્યાપક હોવાથી મે પાર્ટી છોડી છે.