ભરૂચમાં 3 માળનું મકાન અચાનક થયું ધરાસાઈ
ભરૂચ શહેરમાં મકાન ધારાશય થવાની ઘટના સામે આવી છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
ભરૂચ શહેરના વડાપાડા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે ૩ માળનું મકાન ધરાસાઈની ઘટના બની હતી. મકાનમાં સુતેલા જયંતી ટેલર નામના વ્યક્તિનો આકસ્મિક બચાવ થયો હતો. સદનસીબે 3 માળનું બિલ્ડિંગ અચાનક પડી જતા પણ જયંતીભાઇ બચી ગયા હતા. મકાન ધરાસાઈ થતા કાટમાળના નીચે પડ્યો હતો. જોકે જયંતી ટેલર જે જગ્યા સુતા હત્યા ત્યાં કાટમાળ ના પડતા બચાવ થયો હતો. જોકે મકાન ધરાસાઈ થવાની ઘટના બનતા લોકો બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ મકાનના બાજુની સાઈડમાં મકાન ઉતારવામાં આવ્યું હતું. જોકે મકાન ઉતારતી વખતે આપેલા ટેકા કમજોર પડતા મકાન ધરાસાઈ થયું હતું. શનિવારે વહેવલી સવારે આ ઘટના બની હતી. ગ્રાઉન્ડ સાથે જ મકાન કકડભૂશ થયું હતું. જો કે ઘટના વહેલી સવારે બની હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. હાલ ધરાશાયી ઇમારતને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ.
{promotion-urls}
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
