બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર
બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોળી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સેન્ટર વાવથી 84 કિમી દૂર હોવાનું રાજસ્થાનના બાડમેર હોવાનું જાણવા મળ્યું છે.
બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોળી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સેન્ટર વાવથી 84 કિમી દૂર હોવાનું રાજસ્થાનના બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપમાં જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
ભૂંકપના આંચકાથી લોકો ભયભીત બન્યા હતા. રાજ્યમાં અવારનવાર આવતા ભૂકંપનાં આંચકને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે ગુરૂવારના રોજ ફરીથી બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો છે.

કેન્દ્રબિંદુ વાવથી 84 કિમી દૂર
ઉલ્લેખનીય છે કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઇ હતી, જેના આંચકા પાલનપુર સહિતનાં વિસ્તારોમાં અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ વાવથી 84 કિમી દૂર રાજસ્થાનનું બાડમેર રહ્યું હતું.
ભૂંકપ આવે ત્યારે સ્વ બચાવ માટે શું કરવું?
- ભૂકંપના આંટકા જેવા આવે ત્યારે તાત્કાલિક ખૂલ્લી જગ્યા
- વીજ થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર રહેવુ
- ભૂકંપ સમયે લીફ્ટનો ઉપયોગ ન કરતા સીડીનો ઉપયોગ કરવો
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય
- ભૂકંપ આવે ત્યારે ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું
- દરવાજાની આસપાસ ન ઉભું ન રહેવું












Click it and Unblock the Notifications
