ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા 2023માં 4187 ઉમેદવારોને રોજગારી અપાઈ
ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન 32 ઔદ્યોગિક ભરતી મેળાનું યોજવામાં આવ્યા અને તેમાં આશરે 185 નોકરીદાતા દ્વારા 4187 જેટલા ઉમેદવારોને રોજગારી આપવામાં આવી.
આ માહિતી શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આપી.

તેમણે જણાવ્યુ કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના 522, કલોલ તાલુકાના 1076, ગાંધીનગર તાલુકાના 2327 અને માણસા તાલુકાના 262 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.
રાજ્યના યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તે માટે દરેક જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સ્થાનિક ખાનગી એકમો સાથે સંકલન કરી તેમના એકમોમાં ખાલી જગ્યાની માહિતી મેળવી અલગ અલગ ક્લસ્ટર આધારિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. આમાં 85 ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
