ગુજરાતમાં 5 લાખ મહિલાઓએ કર્યુ હેન્ડવૉશ, જાણો કેમ મનાવ્યો આ ઉત્સવ
ગુજરાતમાં એક અનોખો પ્રયોગ થયો જેમાં રાજ્યભરના 3800થી વધુ સ્થળોએ 5 લાખ મહિલાઓએ હેન્ડવૉશ તેમજ સેનિટાઈઝિંગ કર્યુ.
ગાંધીનગરઃ ગુજરાતમાં એક અનોખો પ્રયોગ થયો જેમાં રાજ્યભરના 3800થી વધુ સ્થળોએ 5 લાખ મહિલાઓએ હેન્ડવૉશ તેમજ સેનિટાઈઝિંગ કર્યુ. આ બધા મહાત્મા ગાંધીના 151માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં સ્વચ્છતા દિવસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યુ. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, 'ગાંધીજીએ હંમેશા સ્વચ્છતાનુ ધ્યાન રાખ્યુ. હવે કોરોનાના દોરમાં મહિલાઓએ મોટી સંખ્યાઓમાં હેન્ડવૉશ કરીને માસ્ક પહેરીને મહામારી સામે લડવાનો સંકલ્પ કર્યો છે. કોરોના સામે લડાઈ જીતવા માટે આપણે સોશિયલ ડિસ્ટંસીંગ પણ અપનાવવુ પડશે. હેન્ડવૉશિંગનુ કેમ્પેઈન સારુ કામ છે અને આ યોગ્ય સમયે થયુ.'

મુખ્યમંત્રીએ આગળ કહ્યુ કે, 'ગુજરાતની નારી શક્તિનુ આ અભિયાન કોરોના સામે લડાઈમાં જીત મેળવશે. કોરોનાને હરાવવામાં આ અભિયાન બધાને નવી પ્રેરણ આપશે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં પણ જાગૃતિ મળશે.' રૂપાણીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 835 નંદઘરોનો ઈ-શિલાન્યાસ તેમજ લોકાર્પણ પણ કર્યુ.
સાથે જ આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘર મહિલાઓ(બાળકોને લાવવા અને લઈ જતી મહિલાઓ) ને માતા યશોદા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. મહિલા તેમજ બાળવિકાસ વિભાગ તરફથી આયોજિત કાર્યક્રમ દ્વારા 59 કરોડ 87 લાખ રૂપિયાની કિંમતે બની રહેલ 835 નંદઘર અને વિવિધ કેન્દ્રોનો ઈ-શિલાન્યાસ કરવામાં માહિતી આપવામાં આવી.












Click it and Unblock the Notifications
