આદિજાતિ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 603 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરાયા: જગદીશ વિશ્વકર્મા
રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મુખ્યમંત્રીશ્રી વતી માર્ગ અને મકાન વિભાગ સંબંધિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામસડક યોજના વર્ષ ૨૦૧૬-૧૭થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ કુલ રૂ. ૬૦૩.૭૯ કરોડ રકમના ૧૧૦૭ કી.મી લંબાઈના ૪૮૬ કામો મંજૂર કરવામા આવ્યાં છે. આ પૈકી રૂ. ૨૬૮.૯૦ કરોડના ૮૪૪ કી.મી લંબાઇના ૩૩૪ કામો પૂર્ણ કરેલ છે. જેનો આજદિન સુધી ૫૪૬ ગામોની ૭,૦૦,૫૪૦ જનસંખ્યાને લાભ મળ્યો છે. રૂ ૨૮૦.૬૮ કરોડના ૧૦૪ કી.મી લબાઇના ૧૫૮ કાચા/મેટલ સપાટીના રસ્તાને પ્રથમવાર ડામર સપાટીના બનાવવામાં છે. જ્યારે રૂ.૧૬૪.૪૫ કરોડના ૧૦૮ કી.મી લંબાઇના ૬૫ કામો પ્રગતિ હેઠળ છે.

મંત્રી વિશ્વકર્માએ આદિજાતિ જિલ્લાઓમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, આદિજાતિ જિલ્લાઓમા કુલ-૦૯ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના,પંચાયત હસ્તકના મૂળ કામો, ખાસ મરામત, ચાલુ મરામત, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સિવાયના પંચાયત હસ્તકના કામો, આદિજાતિ વિસ્તારના રાજ્ય રસ્તા, આદિજાતિ વિસ્તારના પુલો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ હેડ હેઠળ વર્ષ-૨૦૨૨-૨૩માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કુલ રૂ.૧૪૭.૧૭ કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, તે પૈકી આજદિન સુધી રૂ.૧૨૩.૦૪ કરોડનો ખર્ચ થયો છે.
છોટાઉદેપુર જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના-૧ હેઠળ કુલ રકમ રૂ.૪૬૮.૮૬ કરોડના ૯૭૫.૩૮ કી.મી લંબાઇના કુલ ૪૦૪ કામો તેમજ વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ કુલ રકમ રૂ.૬૫.૩૯ કરોડના કુલ૨૮ કામો મંજૂર કરવામા આવ્યા છે. જેમાં ૩૫ પ્રાથમિક શાળાઓ અને ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પાકા રસ્તાની સુવિધા મળનાર છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
