'રમખાણ પીડિતોના નામે તિસ્તા ભરી રહી છે પોતાના ખિસ્સા'

ગુલબર્ગ સોસાયટીના લોકોનું કહેવું છે કે તિસ્તાની એનજીઓએ તેમના કલ્યાણના નામે દુનિયાભરમાંથી લાખો રૂપિયાનું ડોનેશન મેળવ્યું. ગોધરાકાંડ બાદ 2002માં ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. દરમિયાન હુમલાખોરોના એક ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં રહેતા એક ખાસ સમુદાયને પોતાનો નિશાનો બનાવ્યા. જેમાં કોંગ્રેસી સાંસદ એહસાન ઝાફરી સહિત 69 લોકોના મોત થયા હતા.
આ સોસાયટીના લગભગ 12 લોકોએ એક સંયુક્ત નોટિસ તિસ્તા સેતલવાડની એનજીઓ સિટિજન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસને મોકલી છે. સાર્વજનિક કરવામાં આવેલી આ નોટિસમાં કહેવાયું છે કે તેમને આરટીઆઇ અંતર્ગત માહિતી મળી છે કે તિસ્તાએ તેમના મકાનોના પૂન:નિર્માણ માટે અને સોસાયટીને મ્યુઝિયમ રૂપે વિકસાવવા દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં દાન એકત્ર કર્યું હતું. લગભગ 63 લાખનું ડોનેશન સીજેપી અને 88 લાખનું ડોનેશન સબરંગ ટ્રસ્ટના ખાતામાં જમા થયું છે. સોસાયટીના લોકોને આમાંથી એક કોડી પણ આપવામાં આવી નથી.
રમખાણ પીડિતોએ શહેરના પોલીસ કમિશ્નરને પણ આની જાણ કરતો પત્ર મોકલ્યો છે. જેમાં તિસ્તાની એનજીઓ પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરવામાં આવી છે. તિસ્તાની એનજીઓ દરવર્ષે 28 ફેબ્રુઆરીના રોજ એક કાર્યક્રમ આયોજિત કરે છે જેમાં રમખાણ પીડિતો પ્રત્યે ભાઇચારો પ્રદર્શિત કરવામાં આવે છે. ગુલબર્ગ સોસાયટીના લોકોએ માંગ કરી છે કે આવી એનજીઓ અને બાહરના લોકોને અમારી સોસાયટીમાં પ્રવેશબંધી કરાવવામાં આવે અને આવા કાર્યક્રમ કરતા અટકાવવામાં આવે. તેમણે એવી માંગ પણ કરી છે કે અમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે જેથી અમે આવી કોઇ એનજીઓ વગર રમખાણોમાં માર્યા ગયેલા લોકો માટે શાંતિપૂર્વક પ્રાર્થના કરી શકીએ.
પોલીસ કમિશ્નરને લખેલા આ પત્રમાં એક રમખાણ પીડિતે એવો આરોપ લગાવ્યો છે કે છેલ્લા દસ વર્ષથી આ એનજીઓ ખોટા વાયદા કરી રહી છે. આ એનજીઓ અને બાહરના લોકો અમને ગરીબ દર્શાવી અને અમારી મદદ કરવાના નામે પોતાના ખિસ્સા ભરી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
