વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્રનું આયોજન થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બાબતે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બાબતે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ બાબતે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં 27 સપ્ટેમ્બરથી 2 દિવસના ચોમાસુ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ચોમાસુ સત્ર મામલે નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આગામી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 27 સપ્ટેમ્બરે મળશે. આ સત્ર 2 દિવસનું હશે. જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનો, પૂર્વ ધારાસભ્યો અને 18 મહાનુભાવોના શોક ઠરાવ પસાર કરાશે.
આ સાથે 4 અન્ય બીલ પણ વિધાનસભા ગૃહમાં પસાર કરાશે. આ બીલમાં ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજ અને ઇન્સ્ટીટયુશન બીલ, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ બીલ 2021, ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી 2021 અને ધ ઇન્ડિયન પાર્ટનરશીપ બીલ 2021 રજૂ કરવામાં આવશે.
રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવના માધ્યમથી વિધાનસભા ગૃહમાં સરકારી સંકલ્પ પણ રજૂ કરાશે.