Ahmedabad plane crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મોટો ખુલાસો, આ કારણે સર્જાઈ દુર્ઘટના

Ahmedabad plane crash : અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 ની વિમાન દુર્ઘટનાને લઈને મોટા ખુલાસા સાથે પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર થયો છે.

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, ટેકઓફ થયા પછી માત્ર થોડી સેકન્ડમાં વિમાનના બંને એન્જિન આપમેળે બંધ થઈ ગયા હતા.

Ahmedabad plane crash

એએઆઈબીના જણાવ્યા મુજબ, સવારે 8:08 વાગે વિમાને 180 નોટ્સની ઈન્ડિકેટેડ એયરસ્પીડ પ્રાપ્ત કરી હતી. તે સમયે અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ રનથી કટ-ઓફ પર આવી ગઈ હતી.

આના કારણે એન્જિનમાં ફ્યુઅલની સપ્લાય રોકાઈ ગઈ હતી. આ ઘટના માત્ર 1 સેકન્ડના અંતરે બની હતી. હજુ સુધી આ સ્વીચ ખસવા પાછળનું કારણ સ્પષ્ટ થયેલ નથી અને વિસ્તૃત તપાસ ચાલુ છે.

આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના જીવ ગયા હતા. બોઇંગ 787-8 વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 12 ક્રૂ મેમ્બર્સ હતા. માત્ર એક મુસાફરનો જ જીવ બચ્યો હતો. મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થતો હતો.

વિમાન અમદાવાદથી લંડન ગેટવિક માટે ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું. એએઆઈબીના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ હજી પ્રારંભિક છે અને સંપૂર્ણ નિષ્કર્ષ બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X