અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદ, 29 મેઃ જનમાર્ગ તરીકે ઓળખાતી અમદાવાદ બીઆરટીએસ ઓન ધ રોડ અને ઓફ ધ રોડ બન્નેમાં ધૂમ મચાવી રહી છે. ઓન રોડની વાત કરવામાં આવે તો તે તે દરરોજ હજારો લોકોનું વહન કરી રહી છે અને ઓફ ધ રોડની વાત કરવામાં આવે તો તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષત્રે એવોર્ડ જીત્યા છે.
તાજેતરમાં અમદાવાદ બીઆરટીએસે જે એવોર્ડ જીત્યા છે, તે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ(UITP) દ્વારા આપવામાં આવ્યા છે. યુઆઇટીપી વિશ્વની અરબન ટ્રાન્સપોર્ટ એજન્સીની આંતરરાષ્ટ્રીય બોડી છે. અમદાવાદ જનમાર્ગ લીમિટેડ, એજેએલે જીનેવા ખાતે 27 મે 2013ના રોજ યોજાયેલા 60માં યુઆઇટીપી વિશ્વ કોંગ્રેસમાં બે એવોર્ડ જીત્યા છે. એજેએલ, એએમસી અને સેપ્ટે યુઆઇટીપી ઇન્ડિયા પોલિટિકલ કમિટમેન્ટ એવોર્ડ અને ડિઝાઇન એવોર્ડ ફોર બીઆરટીએસની કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા છે. આ એવોર્ડ યુઆઇટીપી ઇલેક્ટ પ્રેસિડેન્ટ પીટર હેન્ડી દ્વારા આપવામાં આવ્યો છે.
અમદાવાદમા બીઆઇરટીએસની શરૂઆત 2009માં કરવામાં આવી હતી, ત્યારબાદ જનમાર્ગે પહેલીવાર ભારતમાં કમ્પલેટ બીઆરટીએસને અપનાવી હતી અને ત્યારથી ભારત અને વિદેશમાં તેની ડિઝાઇન અને પ્લાનિંગને અપનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં બીઆરટીએસને સારો પ્રતિસાદ અને લોકોએ તેને પસંદ કર્યા બાદ અધિકૃત રીતે અમદાવાદ બીઆરટીએસને જનમાર્ગ એટલે કે લોકોનો માર્ગ તરીકે સંબોધિત કરવા આવી.
અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ