અમદાવાદ કોર્પોરેશને ઐતિહાસિક એલિસ બ્રિજ તોડવાની દરખાસ્ત મૂકી

એલિસ બ્રિજ એટલે પશ્ચિમ અમદાવાદ તરફ વિકસેલા નવા શહેરને જોડતો એકમાત્ર અને પહેલો પુલ. તેના પરથી શહેરનો જ નહીં પરંતુ દેશનો ઇતિહાસ પણ પસાર થયો છે. મહાત્મા ગાંધીએ દાંડી કુચ પહેલાની વિશાળ સભા આ એલીસ બ્રિજની નીચે જ સંબોધી હતી. લાખોની જનમેદની નદીનાં પટમાં આ પુલની નીચે ભેગી મળી હતી. આ આખી ઐતિહાસીક અને બ્રિટીશ શાસનનાં પાયા હલાવતી ઘટનાનો સાક્ષી એલિસ બ્રિજ બન્યો હતો.
શહેરીજનોમાં એલિસ બ્રિજ લક્કડીયો પુલ તરીકે પણ જાણીતો છે. શહેરના લોકો તેમજ શહેર બહારનાં લોકો માટે આ પુલનું ચિત્ર એ અમદાવાદનું પ્રતીક હતું. પુલનાં અર્ધવર્તુળાકાર ગડર એ અમદાવાદનું સમાનાર્થી બની રહ્યાં છે.
આ પુલ પહેલા લાકડાનો હતો. જે 1870માં બાંધવામાં આવ્યો હતો પરંતુ નદીમાં આવેલા પુરનાં પરીણામે તેનો તુટી ગયો. ત્યારબાદ ગુજરાતી એવા રાવ બહાદુર હિંમતલાલે આ લોખંડી પુલ બાંધવાનું બીડુ ઝડપ્યું. રાત દિવસ મહેનત કરીને તેમણે આ પુલની અનેક ડીઝાઇને તૈયાર કરી. કહેવાય છે કે પુલમાં જરૂરી એવી લોખંડની સામગ્રીનાં બે જહાજો ડુબી ગયા અને છેક ત્રીજુ જહાજ અમદાવાદ સુધી પહોંચી શક્યું.
અંગ્રેજ સરકારે હિંમતલાલને આ કામ માટે પછીથી રાવબહાદુરનો ઇલ્કાબ આપ્યો અને આ પુલને શહેરનાં જ કમિશનર સર બેરો હર્બટ એલિસનું નામ આપવામાં આવ્યું. હિંમતલાલ આ પુલ બનાવતા ત્યારે નદીના પટમાં દિવસ રાત મહેનત કરતા અને ત્યાં જ પોતાનું રાંધવાનું બનાવીને જમતા. આમ તેમનાં અથાગ પ્રયત્નોનાં કારણે આ સુંદર પુલ તૈયાર થયો. હિંમતલાલે આ પુલ એ જમાનામાં ચાર લાખ રૂપિયામાં બનાવ્યો હતો. જ્યારે જૂના લાકડાનાં પુલને બનાવવામાં પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ વિગતો અલીસબ્રીજનાં પર મારેલી તક્તીમાં લખવામા આવી છે. હાલમાં આ તક્તી સંસ્કાર કેન્દ્રમાં જોવા મળે છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
