આસારામના સાત શિષ્યો સામે સમન્સ જારી

એડવોકેટ ચંદ્રશેખર ગુપ્તે જણાવ્યું કે મુખ્ય મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેન ડીબી બારોટે સમન્સ જારી કર્યા અને આસારામના બધા સાત શિષ્યોને બુધવારે અદાલતમાં હાજર કરવાના આદેશ આપ્યા, હવે તેમને સીઆઇડી તરફથી દાખલ કરવામાં આવેલ ફરિયાદની નકલ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇને દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસ સબબ વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સમન્સની અવગણના કરી રહ્યાં હતા અને પંચે તેમનું નિવેદન લેવું હોય તો પોતાનો કોઇ પ્રતિનીધિ મોકલે તેવી માંગણી કરી રહ્યાં હતા. જો કે, તેમની આ માંગણીનો અસ્વિકાર કરવામાં આવ્યો હતો અને પંચ સમક્ષ હાજર રહેવા ફરામાન કર્યું હતું. જે સબબ થોડા સમય પહેલા નારાયણ સાંઇ કોર્ટ સમક્ષ હાજર થયાં હતા અને હવે આસારામ બાપુ કોર્ટ સમક્ષ હાજર થયા છે.
નોંધનીય છે કે, પાંચ જૂલાઇ 2008ના રોજ આસારાબ બાપુના આશ્રમમાં અભ્યાસ કરતા બે બાળકો દિપેશ અને અભિષેકનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. બંન્નેના મૃતદેહોને જોયા બાદ પરિવારજનોએ આશ્રમમાં ચાલતી તાંત્રિક વિધિના કારણે આ બાળકોનો ભોગ લેવાયો હોવાનો આરોપ મુક્યો હતો. આરોપ બાદ જનાક્રોશ થતાં રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને આ તપાસ સીઆઇડીને સોંપી અને નિવૃત જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચની પણ રચના કરી હતી.












Click it and Unblock the Notifications
