અમદાવાદ મહેસાણા હાઈવે આઠ લેન બનશે, 2630 કરોડની ફાળવણી
રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં અમદાવાદ-મહેસાણા હાઈવેને આઠ માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે. વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 2630 કરોડના ખર્ચે આ વિસ્તરણ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ માર્ગ પરિવહન સુગમ બનાવવાનો છે.

આ યોજના હેઠળ, અમદાવાદ-મહેસાણા (અડાલજથી પાલાવાસણ સર્કલ) વચ્ચેનો 51.60 કિલોમીટરનો હાઈવે હવે આઠ લેનનો બનશે. હાલ આ લગભગ 70 કિલોમીટરનું અંતર ભારે ટ્રાફિકને કારણે સતત વ્યસ્ત રહે છે, જે દરરોજ અવરજવર કરતા લોકો માટે સમયનો મોટો વ્યય કરે છે.
નવા આઠ માર્ગીય હાઈવે પર આઠ અન્ડરપાસ ઉપરાંત, કલોલ શહેરમાં 6.1 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ પામશે. જેનાથી વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે અને તેમના કિંમતી સમયની નોંધપાત્ર બચત થશે.












Click it and Unblock the Notifications
