અમદાવાદ મહેસાણા હાઈવે આઠ લેન બનશે, 2630 કરોડની ફાળવણી
રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં અમદાવાદ-મહેસાણા હાઈવેને આઠ માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે. વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 2630 કરોડના ખર્ચે આ વિસ્તરણ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ માર્ગ પરિવહન સુગમ બનાવવાનો છે.

આ યોજના હેઠળ, અમદાવાદ-મહેસાણા (અડાલજથી પાલાવાસણ સર્કલ) વચ્ચેનો 51.60 કિલોમીટરનો હાઈવે હવે આઠ લેનનો બનશે. હાલ આ લગભગ 70 કિલોમીટરનું અંતર ભારે ટ્રાફિકને કારણે સતત વ્યસ્ત રહે છે, જે દરરોજ અવરજવર કરતા લોકો માટે સમયનો મોટો વ્યય કરે છે.
નવા આઠ માર્ગીય હાઈવે પર આઠ અન્ડરપાસ ઉપરાંત, કલોલ શહેરમાં 6.1 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ પામશે. જેનાથી વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે અને તેમના કિંમતી સમયની નોંધપાત્ર બચત થશે.
More From
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
