Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદ મહેસાણા હાઈવે આઠ લેન બનશે, 2630 કરોડની ફાળવણી

રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં અમદાવાદ-મહેસાણા હાઈવેને આઠ માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે. વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 2630 કરોડના ખર્ચે આ વિસ્તરણ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ માર્ગ પરિવહન સુગમ બનાવવાનો છે.

આ યોજના હેઠળ, અમદાવાદ-મહેસાણા (અડાલજથી પાલાવાસણ સર્કલ) વચ્ચેનો 51.60 કિલોમીટરનો હાઈવે હવે આઠ લેનનો બનશે. હાલ આ લગભગ 70 કિલોમીટરનું અંતર ભારે ટ્રાફિકને કારણે સતત વ્યસ્ત રહે છે, જે દરરોજ અવરજવર કરતા લોકો માટે સમયનો મોટો વ્યય કરે છે.

નવા આઠ માર્ગીય હાઈવે પર આઠ અન્ડરપાસ ઉપરાંત, કલોલ શહેરમાં 6.1 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ પામશે. જેનાથી વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે અને તેમના કિંમતી સમયની નોંધપાત્ર બચત થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X