For Quick Alerts
For Daily Alerts
ગરમી વધતા જ અમદાવામાં રોગચાળો શરૂ, પ્રશાસન સાંભળે છે?
અમદાવાદમાં કોલેરા સમતે મલેરિયા અને ટાઇફોડના કેસમાં વધ્યા. જાણો વધુ અહીં.
અમદાવાદ શહેરમાં ગરમીના પારાની સાથે રોગચાળામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી જન્ય રોગોમાં મોટો વધારો નોંધાયો છે. ઝાડા-ઉલ્ટીની સાથે કોલેરાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જે જોઇને લાગે છે કે તંત્ર હજી પણ ઊંઘી રહ્યું હોય. અમદાવાદ શહેરમાં છેલ્લા 26 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 511 કેસ અને કોલેરાના 5 કેસ નોંધાયા છે.
અમદાવાદના શહેરના કોર્ટ વિસ્તારમાં અગાઉ પણ પીવાના પાણી અને ગટર લાઈન એક થઇ જવાની ફરિયાદો ઉઠી છે. જેને લઇ પ્રદૂષિત પાણી આવે છે. વળી તંત્ર દ્વારા ફરિયાદ નિરાકરણ માટે આંખ - આડા કાન કરવામાં આવે છે.
વર્ષ દરમ્યાન રોગચાળાના આંકડા પર એક નજર...
મચ્છરજન્ય કેસો
સદા
મેલેરિયા
કેસો:
38
ઝેરી
મેલેરિયા
કેસો:
67
ચીકન
ગુનિયા
કેસો:
116
ડેન્ગ્યુંના
કેસો:
71
પાણી જન્ય કેસો
ઝાડા-ઉલટી:
1225
કમળો:
357
ટાઈફોડ:
508
કોલેરા:
5
Comments
English summary
Ahmedabad: malaria, typhoid, cholera cases increased. Read more here.
Story first published: Tuesday, March 28, 2017, 13:28 [IST]