Railway News: અમદાવાદ-તિરૂચિરાપલ્લી એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં ફેરફાર, જાણો
Railway News: દક્ષિણ રેલવેના ચેન્નાઈ એગ્મોર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 5 અને 6 પર પુનઃવિકાસનું કાર્ય ચાલી રહ્યું છે, જેને કારણે રેલવે દ્વારા 60 દિવસનો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને પગલે, ગુજરાતથી દક્ષિણ ભારત જતી મહત્વપૂર્ણ ટ્રેન, અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ, હવે બદલાયેલા રૂટ પર દોડશે.

માર્ગ પરિવર્તન દરમિયાન, મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનને તિરુત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
60 દિવસ માટે કયો રૂટ રહેશે?
અમદાવાદ-તિરુચિરાપલ્લી વચ્ચે દોડતી બંને સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો નીચે મુજબની તારીખો અને પરિવર્તિત માર્ગે દોડશે.
1. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ
- ક્યાંથી ક્યાં સુધી: 18 ડિસેમ્બર 2025થી 29 જાન્યુઆરી 2026 સુધી.
- પરિવર્તિત માર્ગ: વાયા રેનિગુંટા - અરક્કોણમ નોર્થ કેબિન - મેલપક્કમ - કાટપાડી - વેલ્લૂર કેન્ટ - વિલ્લુપુરમ્.
- આ સ્ટેશનો પર નહીં જાય: આ ફેરફાર દરમિયાન આ ટ્રેન અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તાંબરમ અને ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર નહીં જશે.
2. ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ
- ક્યાંથી ક્યાં સુધી: 21 ડિસેમ્બર 2025થી 02 ફેબ્રુઆરી 2026 સુધી.
- પરિવર્તિત માર્ગ: વાયા વેલ્લૂર કેન્ટ - કાટપાડી - મેલપક્કમ - અરક્કોણમ નોર્થ કેબિન - રેનિગુંટા.
- આ સ્ટેશનો પર નહીં જાય: પરત આવતી વખતે આ ટ્રેન ચેંગલપટ્ટૂ, તાંબરમ, ચેન્નાઈ એગ્મોર, પેરમ્બૂર અને અરક્કોણમ સ્ટેશનો પર નહીં જશે.
મુસાફરો માટે સૂચના: ટ્રેનોના રોકાણ, માર્ગ અને સમયપત્રકની વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.












Click it and Unblock the Notifications
