Railway News: અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે, જાણી લો નવું શિડ્યુલ
Railway News: દક્ષિણ રેલવેના ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યને પગલે રેલવે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 60 દિવસ માટે અહીં સ્પેશિયલ બ્લોક લેવામાં આવ્યો હોવાથી, અમદાવાદથી તિરુચિરાપલ્લી જતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નિર્ધારિત રૂટને બદલે ડાયવર્ટ કરેલા માર્ગ પરથી દોડશે.

કઈ ટ્રેનોના રૂટ બદલાયા?
રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ નીચે મુજબની ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે:
- ટ્રેન નંબર 09419 (અમદાવાદ-તિરૂચિરાપલ્લી સ્પેશિયલ): આ ટ્રેન 5 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ 2026 સુધી રેનિગુંટા - અરક્કોણમ નૉર્થ કેબિન - મેલપક્કમ - કાટપાડી - વેલૂર કેન્ટ - વિલ્લુપુરમ થઈને ચાલશે.
- ટ્રેન નંબર 09420 (તિરૂચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ): આ ટ્રેન 8 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2026 સુધી વેલૂર કેન્ટ - કાટપાડી - મેલપક્કમ - અરક્કોણમ નૉર્થ કેબિન - રેનિગુંટા થઈને પોતાની સફર પૂર્ણ કરશે.
કયા સ્ટેશનો પર ટ્રેન નહીં જાય?
રૂટમાં પરિવર્તનને કારણે આ ટ્રેન નીચેના સ્ટેશનો પર ઉભી રહેશે નહીં:
- ચેન્નાઈ એગ્મોર (MS)
- તામ્બરમ
- ચેંગલપટ્ટૂ
- પેરમ્બૂર
- અરક્કોણમ
રાહતના સમાચાર: મુસાફરોની સુવિધા માટે માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરૂત્તણિ (Tiruttani) સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
મુસાફરો માટે સૂચના
ટ્રેનના સમય, નવા રૂટ અને સ્ટોપેજની વધુ વિગતો જાણવા માટે મુસાફરોને રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અથવા 'NTES' એપનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
