Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા 6 દિવસ માટે રહેશે બંધ, જાણો કારણ

Ambaji Gabbar Ropeway: સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી ખાતે ગબ્બર ગોખના દર્શને જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ગબ્બર પર્વત પર જતી રોપ-વે સેવા સતત 6 દિવસ સુધી કાર્યરત રહેશે નહીં.

Ambaji Gabbar Ropeway

શા માટે લેવાયો આ નિર્ણય?

બનાસકાંઠામાં આવેલ ગબ્બર પર્વત પર રોપ-વેનું સંચાલન કરતી એજન્સી દ્વારા દર વર્ષે સુરક્ષાના ભાગરૂપે 'એન્યુઅલ મેન્ટેનન્સ' (વાર્ષિક મરામત) કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સલામતીને સર્વોપરી ગણીને મશીનરી, ઈલેક્ટ્રિકલ સિસ્ટમ અને લોખંડના વાયર રોપની ટેકનિકલ ચકાસણી કરવી અનિવાર્ય છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવશે.

કઈ તારીખ સુધી બંધ રહેશે સેવા?

વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર:

  • બંધ રહેવાનો સમયગાળો: 23થી 28 ફેબ્રુઆરી 2026 સુધી.
  • ફરી ક્યારે શરૂ થશે: 1 માર્ચ 2026થી રોપ-વે સેવા રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લી મુકાશે.

પગથિયાં ચઢીને કરવા પડશે દર્શન

જે યાત્રિકો આ છ દિવસ દરમિયાન અંબાજીમાં માતાજીના દર્શને આવવાનું આયોજન કરી રહ્યા છે, તેમણે ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન કરવા માટે પગથિયાંનો ઉપયોગ કરવો પડશે. વૃદ્ધો અને અશક્ત યાત્રિકોએ આ સમયગાળા દરમિયાન રોપ-વેની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાની ખાસ નોંધ લેવી.

રોપ-વે મેન્ટેનન્સની આ કામગીરી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ ફરીથી આધુનિક સુવિધા સાથે સુરક્ષિત મુસાફરીનો આનંદ માણી શકશે. વહીવટી તંત્રએ યાત્રિકોને આ ટેકનિકલ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X