ગુજરાત ચૂંટણીમાં અમિત શાહ, આ રણનીતિ સાથે ઉતરશે
જાણો ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રપતિ અધ્યક્ષ અમિત શાહની શું રણનીતિ છે.
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ યુપીમાં ભાજપની મોટી જીત બાદ પહેલી વાર 29 માર્ચે અમદાવાદ આવશે. ગુજરાતના આ બે દિવસના કાર્યક્રમમાં અમિત શાહ, ગુજરાત વિધાનસભામાં હાજરી આપશે અને તેમનો અભિવાદન કાર્યક્રમ પણ યોજાશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત પછી જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ ઉત્તર પ્રદેશની જેમ જ રણનિતિ અપનાવવામાં આવશે તેવું મનાઇ રહ્યું છે. જે મુજબ દરેક વર્ગને સાથે જોડીને વિકાસના મુદ્દાને રજૂ કરવામાં આવશે. સાથે જ ગુજરાત સમેત હિમાચલ પ્રદેશ અને કર્ણાટક કે જ્યાં આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યાં પણ આ જ પ્રણાલી પર કામ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતમાં ભાજપની સરકાર પાછલા 19 વર્ષોથી છે. પણ બહુ લાંબા સમય પછી પહેલી વાર ગુજરાતમાં ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા સિવાય ઉતરી રહી છે. ત્યારે ગુજરાતની 182 સીટો માટે અમિત શાહે 150 સીટો પર જીતનો લક્ષ રાખ્યો છે. અને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. આમ મોદી પણ છેલ્લા બે વર્ષોમાં 10થી વધુ વાર ગુજરાત આવી ચૂક્યા છે અને વિજય રૂપાણીના શાસનમાં આવ્યા પછી પીએમ મોદીની ગુજરાત મુલાકાતોમાં મોટા વધારો થયો છે.
શુક્રવાર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પર અમિત શાહ સમેત ગુજરાતના સાંસદોની મુલાકાત થઇ હતી. અને ઔપચારિક મુલાકાતમાં આમ તો ગુજરાતની ચૂંટણી પર કોઇ ચર્ચા નહતી થઇ. પણ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. આ વર્ષના અંતમાં જ્યાં આ ચૂંટણીઓ થવાની છે ત્યારે બૂથ સ્તરથી લઇને પદાધિકારી અને કાર્યકર્તાઓ વચ્ચે પણ અનેક સંમેલન થશે. ત્યારે શું આ વખતે પણ પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાતમાં ભાજપની સરકાર લાવી શકે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
