અમિત શાહ કોગ્રેસ અને રાહુલ ગાંધી પર કર્યા જોરદાર પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જામ ખંભાળિયામાં ચૂંટમી સભાને સંબોધન કરતા કોગ્રેસ અને રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. રાહુલ ગાંધીના મેધા પાટકર સાથેના ફોટા પર સવાલ ઉઠાવતા તેમણે કોગ્રેસને એનજીઓની પાર્ટી કહી હતી. અને જેણે ગુજરા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જામ ખંભાળિયામાં ચૂંટમી સભાને સંબોધન કરતા કોગ્રેસ અને રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. રાહુલ ગાંધીના મેધા પાટકર સાથેના ફોટા પર સવાલ ઉઠાવતા તેમણે કોગ્રેસને એનજીઓની પાર્ટી કહી હતી. અને જેણે ગુજરાતને પાણીથી વંચીત રાખ્યા તેવા મેધા પાટકરનો સાથે આપે છે તેને ગુજરાતની જનતા જવાબા આપશે તેમ જણાવ્યુ હતુ.
અમિત શાહએ કોગ્રેસ રામ મંદિરને લઇને જે મેણું મારતા જણાવતા હતા કે, મંદિર વહી ભનાયેગે તારીખ નહી બતાયેગે, તેનો જવાબ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ રામ જન્મ ભૂમિનો શિલાન્યાસ કરીને આપ્યો છે. તેમના દ્વારા બાબા વિશ્વનાથને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.બદ્રીનાથ, કેદારનાથ, સોમનાથ, અંબાજી અને પાવાગઢ મંદિરના નિર્માણ કર્યો છે.
અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, દ્વારકામાં જે દબાણો હતા તેને દુર કરવાનું કામ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કર્યુ છે. તેને અભિનંદન છે. ભાજપની સરકારે ખંભાળિયામાં વિકાસની સરવાણી લાવાનું કામ કર્યુ છે. ગુજરાત સરકારે વિકાસના અનેક કામો કર્યા છે. જામનગરના સાંસદ તો તમે આપ્યા પણ હવે એક ધારસબ્ય ખાટલે ખોટ જેવી છે.
અમિત શાહે રાજ્ય સરકારના વિકાસના કામો ગણાવતા જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા અઢી કરોડ રૂપિયાના ખર્ચે સીસીટીવી, ગટરલાઇન, શૌચાલય, અને ટાઉન હોલનું પણ નિર્મણ કર્યુ છે. 52 હજાર લોકોને સિલિન્ડર 69 હજાર લોકોના ઘરોમાં શૌચાલય બનાવ્યા છે. શિવરાજપુર બીચને બ્લુ બિચનો દરજ્જો અપાવ્યો છે.
શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, ખેડુતોને ટેકાના ભાવ મળ્યા છે કપાસના ભાવ મળ્યા છે. માડવીના ભાવ મળ્યા છે. આવી વ્યવસ્થા ગુજરાતમાં વર્ષો પછી થઇ છે. કોગ્રેસીઓ નજર લગાવાનુ કામ કરે છે. તમે મેઘા પાટકરનો હિસાબ પુછવાનો છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના રસ્તા દેખાડવાનું કામ કરે છે. યુક્રેનમાં 35 હાજાર વિદ્યાર્થીને ભણે છે. ત્રણ દિવસ લડાઇ રોકવા તોપના નાડચા બંધ કરીને વિદ્યાર્થીઓને પાછઆ લાવ્યા છે. નરેન્દ્ર મોદીએ કરાવ્યુ છે.