અમદાવાદમાં ઉતરાયણ મનાવશે અમિત શાહ, કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે
અમિત શાહ દરવર્ષે ઉતરાયણે અમદાવાદ આવે છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદ આવશે અને પરિવાર સાથે ઉજવણી કરશે.
અમદાવાદ : ગુજરાતમા ઉતરાયણની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. પતંગ રસિયાઓ પુરો દિવસ ધાબા પર પતંગનો આનંદ લે છ ત્યારે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉતરાયણની મુલાકાતે આવી રહ્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર અમિત શાહ આ વખતે અમદાવાદમાં પરિવાર સાથે પતંગ ઉડાડી ઉતરાયણની ઉજવણી કરશે.
મળી રહેલી વિગતો અનુસાર, અમિત શાહ ઉતરાયણે 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ ઉતરાયણની ઉજવણી માટે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરશે અને પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરશે.
અમિત શાહ ઉતરાયણની ઉજવણી માટે ઘણી વખત અમદાવાદ આવે છે ત્યારે હવે આ વખતે તેઓ કાર્યકર્તાઓ સાથે પણ ઉજવણીમાં જોડાશે. અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડવાનો આનંદ લેશે. વધુ વિગતો અનુસાર અમિત શાહ કચ્છ બોર્ડરની મુલાકાત પણ લઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ધામધુમથી પતંગ મહોત્સવની ઉજવણી થાય છે. ગુજરાત સરકારે અમદાવાદ રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત ગુજરાતના મોટા શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કર્યુ છે. આ પતંગ મહોત્સવ 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ઉજવાશે.