અમરેલીઃ સાવરકુંડલામાં મૃત સિંહના નખ ગુમ થવા મામલે વન વિભાગે કરી તપાસ
સાવરકુંડલા રેન્જમાં આવેલા મિતિયાળા રેન્જમાં આવેલ અભ્યારણ્યમાંથી ચાર દિવસ પહેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે.
સાવરકુંડલા રેન્જમાં આવેલા મિતિયાળા રેન્જમાં આવેલ અભ્યારણ્યમાંથી ચાર દિવસ પહેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્યમાંથી ચાર દિવસ પહેલા જ એક વ્યક્તિને સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યો ત્યારે પોસ્ટમૉર્ટમની કાર્યવાહી દરમિયાન વન વિભાગને જાણ થતા સિંહના 18માંથી 7 જેટલા નખ ગુમ થયા છે. આ ઘટનાની જાણ થતા વન વિભાગ દ્વારા અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
Recommended Video


સાવરકુંડલા તાલુકાના મીતિયાળા અભ્યારણ્યમાં ચાર દિવસ પહેલા સિંહનો એક મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના 18માંથી 7 નખ ગુમ થયા હતા. વન વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને અલગ-અલગ દિશાઓમાં આની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સિંહના મૃતદેહમાંથી કઈ રીતે નખ કાઢવામાં આવ્યા અથવા કોઈ બીજી રીતે નખ નીકળી ગયા છે તેની ઉંડાણપૂર્વક તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સ્કેનિંગ પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ સિંહના સાત જેટલા નખ ક્યારે સિંહના પંજામાંથી ગાયબ થયા એ તપાસનો વિષય બની ગયો છે. જૂનાગઢના સીસીએએફ વસાવડાએ માહિતી આપી હતી કે સિંહના કુલ 18 નખમાંથી સાત જેટલા નખ ગુમ થયા છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
