કોગ્રેસના આણંદ જિલ્લના અમુલ ડેરીના ડિરેક્ટરો ભાજપમાં જાડોયા
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા
અમુલ ડેરીના ડિરેક્ટર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જેમા જુવાનસિંહ ચૌહાણ, તારાપુર અમુલ ડેરીના ડિરેકટર સિતાબેન પરમાર, કપંડવજ અમુલ ડેરીના ડિરેકટર શારદાબેન પટેલ તેમજ કપડવંજના અમુલ ડેરીના ડિરેકટર ઘેલાભાઇ ઝાલા જોડાયા.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં આજે સહકારી સંસ્થાઓ મજબૂત થઇ રહી છે. ગુજરાત રાજયમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બની છે.
કોંગ્રેસના કાર્યકાળમાં મોટા ભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી પરંતુ કોંગ્રેસનુ નેતૃત્વ આ સંસ્થાઓનો દુરઉપયોગ કરતી હતી એટલે પશુપાલકો અને ખેડૂતોએ ભાજપના નેતૃત્વ પર ભરોસો મુક્યો છે અને આજે રાજયના મોટા ભાગના એપીએમસી સહિત સહકારી માળખામાં ભાજપના કાર્યકરો સેવા આપી રહ્યા છે. આજે ખેડા અને આંણદ જીલ્લાના સહકારી આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનુ પક્ષમાં હ્રદયથી સ્વાગત કરુ છું. આગામી સમયમાં આ ચારેય ડિરેકટરઓ જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને વધુ મજબૂત કરવા કામ કરશે તેવી અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
