લેન્ડસ્લાઇડના લીધે જમ્મુ-કાશ્મીર હાઇવે બંધ, પુરના લીધે સેનાના જવાનો નદીમાં તણાયા
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને લીધે હાઇવે પર ઘણા કિલોમીટર લાંબો જામ લાગ્યો છે. જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે પર ઘણી ગાડીઓ સડક પર ઉભી છે. ખરાબ મૌસમને લીધે નેશનલ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે.

તો પુંછમાં સ્થિતિ પોશના નદીમાં સેનાના બે જવાનો તણાયા હતા. જેમની તપાસ કરીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. જમ્મુ ડિફેન્સ પીઆરઓની તરફથી જાણાકારી આપવામાં આવી છે. નાયબ સબેદાર કુલદીપ સિહ નદી પાર કરી રહ્યા હતા ત્યારે પાણીમાં તણાયા હતા .
તો બીજી તરફ અમરનાથ યાત્રા પર પણ ખરાબ મૌસમની અસર જોવા મળી રહી છે. રામબનના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યુ હતુ કે, નેશનલ હાઇવે 44 ને લેન્ડસ્લાઇડના લીધે ગાડીઓનેી અવરજવર અટકાવી છે. ઉધમપુરમાં ગાડીઓનો ઝામ લાગી ગયો છે.
અમરનાથ યાત્રા જે 1 જુલાઇએ શરુ થઇ છે. આજે 31 ઓગસ્ટ સુધી ચલાવાની હતી જેને ખરાબ હવામાને લીધે રસ્તામાં જ રોકી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
