પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે જિલ્લા વાર વ્યવસ્થા
બીએપીએસ સંસ્થા તેના મેનેજમેન્ટ માટે વખણાય છે આવી કપરી ઘડીમાં પણ પ્રમુખ સ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલા અનુશાસિત સંતોએ એક ઉત્તમ વ્યવસ્થા દેશવિદેશના હરિભક્તો માટે તથા મહાનુભાવો માટે ઉભી કરી છે જેમાં 17 તારીખ સુધી ગુજરાતના સમગ્ર જિલ્લાને તારીખ પ્રમાણે દિવસો ફાળવી દેવાયા છે
સારંગપુર ખાતે પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં દર્શન તા.14-8 થી 16-8 દરમ્યાન 24 કલાક માટે ખુલ્લા રહેશે. રવિવારે તા.14-8-2016, સવારે 7 વાગ્યા થી દર્શન શરૂ થશે.

જીલ્લા પ્રમાણે દર્શનની તારીખ આ પ્રમાણે છે.
તા. 14-8-2016 - રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા
તા. 15-8-2016 - તાપી, નર્મદા, ડાંગ, સેલવાસ, મુંબઈ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર
તા. 16-8-2016 - જામનગર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, પાટણ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, આણંદ
તા. 17-8-2016 - સવારે 11 વાગ્યા સુધી - ભરૂચ, વલસાડ અને પરપ્રાન્ત
વિદેશના હરિભક્તો તેમની અનુકૂળતા મુજબ ઉપરોક્ત દિવસો દરમ્યાન દર્શને આવી શકશે. હરિભક્તો ઉપર જણાવેલ તારીખ મુજબ દર્શન કરવા આવશે તો જ સારી રીતે વ્યવસ્થા થઈ શકશે.
તમામ પ્રકારની વ્યવસ્થા સારી રીતે સચવાય તે માટે ઉતારાની કોઈ વ્યવસ્થા નથી. દર્શન કરીને તુરત વિદાય લેવાની રહેશે. જે જીલ્લાઓના હરિભક્તોએ જે તારીખે જવાનું છે તેમાં મહિલાઓ પણ આવી શકશે.
અંતિમવિધિ તા.17-8-2016 બપોરે 3 વાગ્યે રાખેલ છે. અંતિમ વિધિના દર્શન સંસ્થાની વેબસાઈટ live.baps.org પરથી લાઈવ થઈ શકશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
