પાટીદારોની આવતીકાલે અમદાવાદમાં ભવ્ય રેલી
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પાટીદારોની આવતીકાલે અમદાવાદમાં ભવ્ય રેલી
આવતીકાલે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની ભવ્ય અનામત રેલી યોજાવા જઇ રહી છે, જેને લઇને આખા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેને લઈને રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે, અમદાવાદમાં આવતા તમામ હાઇવે અને મુખ્ય માર્ગો પર પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આરપીએફની બે ટુકડી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચી છે.

આંદોલન સમિતિ મંજૂરી માગશે
રેલી યોજવા પાટીદાર આંદોલન સમિતિ મંજૂરી માગશે. પોલીસ કમિશનરને રેલી યોજવા માટે આપશે અરજી. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે યોજશે રેલી. GMDC ગ્રાઉન્ડમાં પાટીદારોની રેલી-મહાસભા પૂર્વે ધમધમાટ. નાના નાના જૂથમાં આવી રહેલા પાટીદારો થઈ રહ્યા છે એકઠા.

અનિચ્છનિય બનાવનો પત્ર
પાટીદારોની રેલી પૂર્વે ગુજરાત હાઇકોર્ટના એક્ટિવ ચીફ જસ્ટિસ જયંત પટેલને પત્ર લખીને એવી માહિતી આપવામાં આવી છે કે, રેલીમાં બની શકે છે અનિચ્છનિય બનાવ.

શિક્ષણ વિભાગની જીદ
પાટીદારોની સામે શિક્ષણ વિભાગની જીદ. સ્કૂલોમાં આવતીકાલની રજા જાહેર કરવા આદેશ નહીં. શિક્ષણ વિભાગે રજા માટે નથી આપ્યો આદેશ. જ્યારે પાટીદારોએ આવતીકારે બંધનું એલાન પાળવાની જાહેરાત કરી છે.

આનંદીબેનના કોંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદી પર લખાયેલા પુસ્તક વિમોચન સમારોહમાં મુખ્યમંત્રીએ આપી હાજરી. વિમોચન સમારોહમાં સીએમ આનંદીબહેને કર્યું સંબોધન. આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે 50 વર્ષના ખાડા એક વર્ષમાં ન ભરી શકાય.

આંદોલન પર સીએમએ તોડ્યું મૌન
પાટીદાર અનામત આંદોલન મામલે સીએમ આનંદીબહેન પટેલ પહેલીવાર ખુલીને સામે આવ્યા. તેમણે જણાવ્યું કે આંદોલન કરનારાઓ માહિતગાર હોવા છતાં બની રહ્યાં છે અજાણ. બંધારણના આધારે અનામત શક્ય નથી.

ફેસબુક,વોટ્સ એપ થઈ શકે છે બ્લોક
આવતીકાલે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની ભવ્ય અનામત રેલી યોજાવા જઇ રહી છે, જેને લઇને આવતીકાલે ફેસબુક, વોટ્સએપ બ્લોક થવાની સંભાવના તોળાઇ રહી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
