પાટીદારોની આવતીકાલે અમદાવાદમાં ભવ્ય રેલી
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પાટીદારોની આવતીકાલે અમદાવાદમાં ભવ્ય રેલી
આવતીકાલે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની ભવ્ય અનામત રેલી યોજાવા જઇ રહી છે, જેને લઇને આખા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેને લઈને રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે, અમદાવાદમાં આવતા તમામ હાઇવે અને મુખ્ય માર્ગો પર પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આરપીએફની બે ટુકડી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચી છે.

આંદોલન સમિતિ મંજૂરી માગશે
રેલી યોજવા પાટીદાર આંદોલન સમિતિ મંજૂરી માગશે. પોલીસ કમિશનરને રેલી યોજવા માટે આપશે અરજી. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે યોજશે રેલી. GMDC ગ્રાઉન્ડમાં પાટીદારોની રેલી-મહાસભા પૂર્વે ધમધમાટ. નાના નાના જૂથમાં આવી રહેલા પાટીદારો થઈ રહ્યા છે એકઠા.

અનિચ્છનિય બનાવનો પત્ર
પાટીદારોની રેલી પૂર્વે ગુજરાત હાઇકોર્ટના એક્ટિવ ચીફ જસ્ટિસ જયંત પટેલને પત્ર લખીને એવી માહિતી આપવામાં આવી છે કે, રેલીમાં બની શકે છે અનિચ્છનિય બનાવ.

શિક્ષણ વિભાગની જીદ
પાટીદારોની સામે શિક્ષણ વિભાગની જીદ. સ્કૂલોમાં આવતીકાલની રજા જાહેર કરવા આદેશ નહીં. શિક્ષણ વિભાગે રજા માટે નથી આપ્યો આદેશ. જ્યારે પાટીદારોએ આવતીકારે બંધનું એલાન પાળવાની જાહેરાત કરી છે.

આનંદીબેનના કોંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદી પર લખાયેલા પુસ્તક વિમોચન સમારોહમાં મુખ્યમંત્રીએ આપી હાજરી. વિમોચન સમારોહમાં સીએમ આનંદીબહેને કર્યું સંબોધન. આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે 50 વર્ષના ખાડા એક વર્ષમાં ન ભરી શકાય.

આંદોલન પર સીએમએ તોડ્યું મૌન
પાટીદાર અનામત આંદોલન મામલે સીએમ આનંદીબહેન પટેલ પહેલીવાર ખુલીને સામે આવ્યા. તેમણે જણાવ્યું કે આંદોલન કરનારાઓ માહિતગાર હોવા છતાં બની રહ્યાં છે અજાણ. બંધારણના આધારે અનામત શક્ય નથી.

ફેસબુક,વોટ્સ એપ થઈ શકે છે બ્લોક
આવતીકાલે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની ભવ્ય અનામત રેલી યોજાવા જઇ રહી છે, જેને લઇને આવતીકાલે ફેસબુક, વોટ્સએપ બ્લોક થવાની સંભાવના તોળાઇ રહી છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
