સિદ્ધિવિનાયકના મંદિરે દર્શને ગયેલા અમદાવાદના ચાર ડૂબ્યા
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વેરાવળમાં ગોઝારો અકસ્માત
વેરાવળમાં ગોઝારો અકસ્માત સર્જાવા પામ્યો છે. સોમનાથ રોડ પર ટ્રેનની અડફેટે આવતા એક યુવાનનું મોત થયું છે. ભવાની મંદિર નજીક સર્જાયો અકસ્માત રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા દરોડા
નર્મદા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્ર લઇ જવાતી રેતી ઝડપાઇ હતી. રૂપિયા 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગેરકાયદેસર રેતીવહનમાટે રાજપીપળા માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

શિવરંજની બ્રિજ પાસે કાર પલટી
શિવરંજની બ્રિજ પાસે કાર પલટી ખાઇ જવાની ઘટના બની હતી. અકસ્માતના પગલે બ્રિજ પાસે ટ્રાફિક જામ થવાની સ્થિતિ સર્જાઇ હતી. જોકે આ ઘટનામાં કારચાલકને સામાન્ય ઇજા થઇ હતી.

પાટીદાર અનામત
પાટીદાર અનામત આંદોલન મામલે આજે બનાસકાંઠામાં યોજાશે રેલી રેલી માટે ડોક્ટર એસોસિએશન દ્વારા રૂપિયા એક લાખની સહાયની જાહેરાત કરી હતી.

વરસાદથી અસરગ્રસ્ત લોકોએ સહાય
વરસાદથી અસરગ્રસ્ત લોકોએ સહાય આપવાના મુદ્દે કચ્છ કોંગ્રેસ કરશે ધરણા. જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ પણ ધરણામાં જોડાશે.

નવા એસટી બસપોર્ટનું સીએમ આનંદીબેને કર્યું ઉદઘાટન
ગીતામંદિર પાસેના નવા એસટી બસપોર્ટનું સીએમ આનંદીબેને કર્યું ઉદઘાટન. કાર્યક્રમમાં વિજય રૂપાણી, શંકર ચોધરી હાજર રહ્યા હતા. વડોદરા બાદ અમદાવાદમાં બનાવાયું અત્યાધુનિક બસપોર્ટ.
|
અમદાવાદના ચાર ડૂબ્યા
સિદ્ધિવિનાયકના મંદિરે દર્શને ગયેલા અમદાવાદના ચાર ડૂબ્યા.












Click it and Unblock the Notifications
