For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેસ્ટ બેકરી કેસના 4 દોષિતો વડોદરા જેલમાં ખસેડાયા

|
Google Oneindia Gujarati News

best-bakery-case
વડોદરા, 6 નવેમ્બર : બેસ્ટ બેકરી કેસના 4 દોષિતોને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. સંજય ઠક્કર, બહાદૂરસિંહ ચૌહાણ, સનાભાઇ બારિયા અને દિનેશ રાજબર નામના ચાર દોષિતો અત્યાર સુધી કોલ્હાપુરની જેલમાં સજા કાપી રહ્યા હતા.

ચાર સાક્ષીઓના નિવેદનના આધારે મુંબઇની ટ્રાયલ કોર્ટે ફરમાવેલી આજીવન કેદની સજા પર મુંબઇ હાઇ કોર્ટે સ્ટે મૂક્યો હતો. આ ઉપરાંત કોર્ટે અન્ય 5 લોકોને પુરાવા નહીં હોવાના આધારે છોડી મૂક્યા હતા.

ગુજરાતના રમખાણો સંબંધિત પ્રથમ કેસને સૌપ્રથમવાર ગુજરાતની બહાર ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ તેને મુંબઇની હાઇકોર્ટમાં ખસેડાવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ભભૂકી ઉઠેલી રમખાણની આગમાં 1 માર્ચ 2002ના રોજ વડોદરામાં આવેલી બેસ્ટ બેકરીમાં એક જ પરિવારના 14 સભ્યોને હૂમલો કરી જલાવી દેવામાં આવ્યા હતા.

English summary
Best Bakery case: 4 convicts shifted to Vadodara jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X