ગુજરાતમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન, વિજેતાને 5 લાખનું ઇનામ મળશે
અમદાવાદ સહિત ગુજરાતના ચાર મહાનગરોમાં ગણેશોત્સવને ખાસ બનાવવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવાનો છે.

આ સ્પર્ધા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો તેમજ રાજ્યના બાકીના ૨૯ જિલ્લાઓમાં અલગ-અલગ યોજાશે.
મહાનગરો માટે : દરેક મહાનગરમાંથી શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોની પસંદગી કરવામાં આવશે.
- પ્રથમ ઇનામ : ૫,૦૦,૦૦૦
- દ્વિતીય ઇનામ : ૩,૦૦,૦૦૦
- તૃતીય ઇનામ : ૧,૫૦,૦૦૦
જિલ્લાઓ માટે: ૨૯ જિલ્લાઓમાંથી પણ શ્રેષ્ઠ ૩ પંડાલ અને ૫ પ્રોત્સાહન ઇનામ માટે પસંદ કરવામાં આવશે.
- પ્રથમ ઇનામ : ૫,૦૦,૦૦૦
- દ્વિતીય ઇનામ : ૩,૦૦,૦૦૦
- તૃતીય ઇનામ : ૧,૫૦,૦૦૦
- ૫ પ્રોત્સાહન ઇનામ : દરેકને ૧,૦૦,૦૦૦
આ સ્પર્ધા માટે એક ખાસ મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે. મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જિલ્લાઓમાં કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ રહેશે.
પંડાલનું મૂલ્યાંકન નીચેના માપદંડો પર થશે.
- પંડાલનું શણગાર
- સામાજિક સંદેશ
- ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા
- દેશભક્તિને પ્રોત્સાહન આપતી 'ઓપરેશન સિંદૂર' જેવી થીમ
- સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ
- ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય તે રીતે સ્થળની પસંદગી
- સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
- ગણેશ પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ
જિલ્લા સ્તરે પસંદ થયેલા પંડાલોની વિગતો રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાં તેમાંથી શ્રેષ્ઠ પંડાલોને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ગણેશ પંડાલના આયોજકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી નિયત ફોર્મ મેળવવાનું રહેશે. અમદાવાદ માટે આ ફોર્મ રવિશંકર રાવળ કલા ભવન પ્રથમ માળ એલિસબ્રિજ લો ગાર્ડન ખાતે ઉપલબ્ધ છે.
ભરેલું ફોર્મ ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં કચેરીના સમય દરમિયાન જમા કરાવવું ફરજિયાત છે. વધુ માહિતી માટે તમે ૯૪૦૯૬૦૫૨૯૭ અથવા ૯૯૦૯૫૫૧૦૩૧ પર સંપર્ક કરી શકો છો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
