For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Bandh: ગુજરાતમાં બેંક, રેલવે યૂનિયનોએ બંધ પાળ્યો

Bharat Bandh: ગુજરાતમાં બેંક, રેલવે યૂનિયનોએ બંધ પાળ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આજે દેશભરમાં વિવિધ યુનિયનો દ્વારા ભારત બંધ પાળવામાં આવ્યો છે. આ બંધમાં 25 કરોડ જેટલા લોકો સંકળાયા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આવેલી પબ્લિક સેક્ટરની બેંકોએ બુધવારે બંધ પાળ્યો છે. મહા ગુજરાત બેંક કર્મચારી એસોસિએશન (MGBEA)ના 40,000 જેટલા સભ્યો આ બંધમાં સામેલ થયા છે. પગાર વધારો ના થયો હોવાના કારણે બેંકર્સ આંદોલન કરી રહ્યા છે.

Bharat Bandh

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતાં MGBEAના જનરલ સેક્રેટરીએ કહ્યું કે, "જાણી જોઈને ડિફોલ્ટ થનારાઓ સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવે તેવી અમે માંગણી કરી છે. આની સાથે જ સરકાર બેંકિંગ સેક્ટરમાં ભરતી કરાવે."

ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી બૉડીએ ચિંતા વ્યક્ત કરી કે ગુજરાતમાં બેંકોનાં આ પગલાંને કારણે વેપાર પર ખરાબ અસર પાડશે. ઑલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF) અને વેસ્ટર્ન રેલવે કર્મચારી યૂનિયન (WREU)એ મંગળવારે જ ઘોષણા કરી હતી કે વિવિધ સ્થળોએ આદોલનો કરીને તેઓ બંધ પાળશે.

AIRF અને WREUના એસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી આરસી શર્માએ કહ્યું કે "કેન્દ્ર સરકાર બધી જ વસ્તુનું ખાનગીકરણ કરી રહી છે અને હવે રેલવે પર તેમની નજર છે. અર્થતંત્રને કાબૂમાં લઈ ના શકતા હોવાથી સરકારે હવે રેલવે વેચવાનું નક્કી કર્યું છે."

આરસી શર્માએ કહ્યું કે પ્રાઈમ લોકેશન પર આવેલી રેલવેની કેટલીક જમીન કેટલાક ઉદ્યોગપતિઓને વેચવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. સાથે જ રેલવે યુનિયને બુધવારે સાબરમતી આશ્રમથી રેલી કાઢીને અમદાવાદ જિલ્લા કલેક્ટરને મેમોરેન્ડમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

આજે ભારત બંધઃ બેંકોમાં કામકાજ ઠપ, 25 કરોડ લોકો બંધમાં સામેલ, જાણો 10 મોટી વાતોઆજે ભારત બંધઃ બેંકોમાં કામકાજ ઠપ, 25 કરોડ લોકો બંધમાં સામેલ, જાણો 10 મોટી વાતો

English summary
Bharat Bandh: Bank and railway unions hold strikes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X