ભરૂચમાં 8 સવારીઓ ભરેલી સ્કૉર્પિયો ઝાડ સાથે ટકરાઈ, 2 મહિલા સહિત ચારના મોત
ગુજરાતના ભરૂચ જિલ્લામાં રાતના સમયે નેત્રંગ ગામ પાસે મોટી દૂર્ઘટના બની ગઈ.
ભરૂચઃ ગુજરાતના ભરૂચ જિલ્લામાં રાતના સમયે નેત્રંગ ગામ પાસે મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં એક પૂર ઝડપે આવતી સ્કૉર્પિયો ઝાડ સાથે ટકરાઈને પલટી ગઈ. જેમાં 2 મહિલાઓ સહિત ચાર લોકોના મોત થઈ ગયા જ્યારે ચાર અન્ય ઘાયલ થઈ ગયા. સ્કૉર્પિયોમાં કુલ આઠ લોકો સવાર હતા.

સૂચના મળતા જ પોલિસે મૃતકોને પોસ્ટમોર્ટમ કરાવવા માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા જે બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા. એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે સ્કૉર્પિયોની દૂર્ઘટના એટલી ભીષણ હતી કે ઘટના સ્થળે જ બે મહિલાઓ અને બે પુરુષોનો મોત થઈ ગયા. વળી, 4 ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સ્કૉર્પિયો કાર ચલાવનાર વ્યક્તિ ઝરણાવાડીમાં રહેતા ગણેશભાઈ વસાવા હતા. એ જ કારમાં સુરતના સતીષભાઈનો પરિવાર પણ સવાર હતો. બધા કારમાં ભરૂચથી કરણાવાડી જઈ રહ્યા હતા. એ દરમિયાન રાતે કાર બેકાબુ થઈને રોડના કિનારે ઝાડ પાસે જઈને ટકરાઈ. ટક્કર એટલી ખતરનાક હતી કે સ્થળ પર જ બે મહિલાઓ અને બે પુરુષોના મોત થઈ ગયા.












Click it and Unblock the Notifications
