Bhavnagar: ભાવનગરના તળાવમાં 5 ડૂબ્યા, 4ના મોત એકનો 1 બચાવ
Bhavnagar: ગુજરાતમાં એક પછી એક ડૂબી જવાની ઘટનાઓએ હાહાકાર મચાવ્યો છે. મંગળવારના રોજ ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર (ટ્યુબવેલ તળાવ)માં કપડા ધોવા અને ન્હાવા ગયેલી 5 માંથી 4 કિશોરીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
બાળકીને ડૂબતી જોઈને અન્ય ચાર લોકો તેને બચાવવા ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. યુવતીઓની ચીસો સાંભળીને આસપાસના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા, અને કોઈક રીતે એક યુવતીને બચાવવામાં સફળતા મેળવી હતી. મૃતકોમાં બે સગી બહેનો છે. ગુજરાતમાં તાજેતરના સમયમાં ડૂબી જવાની આ ચોથી-પાંચમી ઘટના છે.
ભાવનગર શહેરમાં આવેલા ગૌરીશંકર સરોવર ખાતે મંગળવારે સવારે 5 યુવતીઓ કપડાં ધોવા અને સ્નાન કરવા ગઈ હતી. દરમિયાન એક યુવતી પાણીમાં પડી હતી. તેને ડૂબતો જોઈને અન્ય 4 છોકરીઓ તેને બચાવવા ઊંડા પાણીમાં ગઈ હતી. જેના કારણે તેઓ બધા ડૂબવા લાગ્યા હતા.

યુવતીઓની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા અને કોઈક રીતે એક યુવતીને બહાર કાઢી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર છે. 4 મૃતક યુવતીઓના નામ અર્ચના ડાભી (17), રાશિ ચારોલીયા (09), કાજલ જાંબુચા (12), કોમલબેન ચારોલીયા (13)નો સમાવેશ થાય છે. કિંજલ ચારોલિયા (12)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને દિવસના 12.30 વાગ્યાની આસપાસ ફોન પર ઘટનાની માહિતી મળી હતી. ગૌરીશંકર સરોવરમાં 5 કિશોરીઓના ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ પછી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અહીં સ્થાનિક તરવૈયાઓએ તળાવમાંથી 5 કિશોરીઓને બહાર કાઢી હતી, બાદમાં તે તમામને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં તપાસ દરમિયાન ડૉક્ટર્સે 4 ને મૃત જાહેર કરી હતી, જ્યારે એક કિશોરીની સારવાર ચાલી રહી છે. આ કિશોરીઓમાં, રાશિ, કોમલ અને કિંજલ સગી બહેનો હતી, જેમાંથી માત્ર એક જ કિંજલ બચી ગઇ છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ત્રણ બનાવમાં 14 લોકો ડૂબી ગયા - 12 મેના રોજ દાંડી બીચ પર અનેક લોકો દરિયામાં ન્હાવાની મજા માણી રહ્યા હતા, આ દરમિયાન ત્રણ અલગ-અલગ પરિવારના 7 લોકો દરિયાના જોરદાર મોજામાં તણાઈ ગયા હતા. તરવૈયાઓએ પાણીમાં ડૂબતા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 3 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
અન્ય ચાર લોકો ઊંડા પાણીમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. બીજી ઘટના 14 મેના રોજ બની હતી, જ્યારે અમરેલીના વતની અને સુરતમાં સ્થાયી થયેલા 10 લોકો નર્મદા જિલ્લાના પોઇચાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન આમાંથી 8 લોકો નર્મદામાં સ્નાન કરવા ગયા હતા.
અહીં 8 પરપ્રાંતિયો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે 7 લોકોના મોત થયા હતા. અન્ય એક બનાવમાં 15 મેના રોજ મોરબી જિલ્લાના નવા સાદુલકા ગામ પાસે 6 સગીર અને એક યુવક મચ્છુ નદીમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન નદીના ઉંડા પાણીમાં પગ લપસી જતાં એક યુવક અને બે સગીરનું ડૂબી જવાથી મોત થયું હતું.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
