નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા, સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રહેશે હાજર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી એટલે કે 27મે થી બે દિવસ નવી દિલ્હીના પ્રવાસે ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સવારે 10 કલાકથી યોજાનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 8 મી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
નીતિ આયોગની આ ગવર્નિંગ કાઉન્સીલમાં દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર્સ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવેલો છે.

મુખ્યમંત્રીશ્રી આ બેઠક ઉપરાંત નવનિર્મિત સંસદ ભવનના 28મે રવિવારે યોજાનારા ઉદ્દઘાટન સમારોહમાં તથા ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદમાં પણ ઉપસ્થિત રહેવાના છે.
NITI આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક શનિવારે દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. આમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, હેલ્થ, MSME, મહિલા સશક્તિકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પીએમ ડાયનેમિક પર ચર્ચા કરવામાં આવી હતી.
મીટિંગમાં નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ પહેલા પણ જોવા મળ્યું છે. પરંતુ, અમે ઘણા લોકોના નિવેદનો લખ્યા છે. તે તમામ બાબતોને ધ્યાને લઈને નીતિ બનાવવામાં આવે છે.
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠક આજે 'વિકાસશીલ ભારત' થીમ પર પૂર્ણ થઈ. હાલમાં ભરત ટેક ઓફ મોમેન્ટમાં છે. માત્ર વસ્તીની દ્રષ્ટિએ આપણે વિશ્વના સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યા છીએ.
થોડા વર્ષોમાં, વિશ્વના કામકાજની ઉંમરના 20 ટકા લોકો ભારતમાં હશે. જો આ સમયે યોગ્ય વસ્તુઓ કરવામાં આવે તો (આગામી 25 વર્ષ), ભારત લાંબા ગાળામાં સાતત્યતા સાથે ઝડપી ગતિએ વિકાસ કરી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે અને 29મી મે સોમવારે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રાબેતા મુજબ મુલાકાતીઓને મુલાકાત માટે મળશે.












Click it and Unblock the Notifications
