ભૂપેન્દ્ર પટેલ ઘટલોડીયાથી ભરશે ઉમેદવારી પત્ર, અમિત શાહ રહેશે હાજર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી નોધાવશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહેશે. ઉમેદવારી નોધાવતા પહેલા અમિત શાહ અન મુખ્યમત્રી મંત્રી દ્વારા સભાને સંબોધન કરવામાં આવશે. ગુજરાત વિધાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી નોધાવશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહેશે. ઉમેદવારી નોધાવતા પહેલા અમિત શાહ અન મુખ્યમત્રી મંત્રી દ્વારા સભાને સંબોધન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂટણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડવામાં આવી રહી છે. ઘાટલોડીયા બાઠક ભાજપનો ગઢ છે. અને આ બેઠક પર ભૂપેન્દ્ર પટેલ જંગી ભહુમતિથી વિજેતા બન્યા હતા. આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ચૂટણી લડતા હતા. આ સાથે સાણદના ઉમેવદાર કનુભાઇ પટેલની ઉમેદવારીમાં પણ 12:30 વાગે ઉપસ્થિત રહેશે.

અમિત શાહ દ્વારા એક ખાનગી ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યુ આપતા નિવેદન આપ્યુ હતુ કે, જો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ જીતશે તો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહશે. ભૂપેન્દ્ર પટેલની ક્લિન ઇમેજ મૃદુ સ્વભાવ તેમજ પાટિદાર ચહેરો હોવાથી ભાજપ તેમને જ મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છએ.
પાટીદાર ભાજપનો સમર્થક રહ્યો છે. 2017 માં પાટીદારના વિરોધને લીધે ભાજપને ભારે નુક્સાન થયુ હતુ. ભાજપ બે આંકલડામાં આવી ગઇ હતી. એટલે આ વખતે તે પાટીદારને નારાજ નથી કરવા માંગતી જેથી કરીને તે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમત્રી તરીકે ચૂંટણી બાદ પણ ચાલુ રાખશે












Click it and Unblock the Notifications
