ગુજરાત AAPને મોટો ઝટકો, ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. આ વચ્ચે આપ નેતા અને મહીસાગર જિલ્લાની બાલાસિનોર બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા નેતા ઉદય સિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
ઉદય સિંહ ચૌહાણના શાસક પક્ષમાં જોડાવાના પગલાને રાજ્યમાં AAPની સંભાવનાઓને ઝડકો તરીકે જોવામાં આવે છે. તેઓ ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

ઉદય સિંહ ચૌહાણે પાર્ટી બદલવાનો નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે સુરતમાં AAPના અનેક કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાયા છે. દેખીતી રીતે આ પ્રદેશમાં આપની હાજરીને નબળી પાડશે.
પ્રદેશ ભાજપ પ્રમુખે કર્યું સ્વાગત - ઉદય સિંહ ચૌહાણનું ભાજપમાં સ્વાગત કરતાં, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે તેમને પરંપરાગત કેપ અને કેસરી રંગનો ખેસ પહેરાવ્યો છે, જે પાર્ટી સાથેના તેમના નવા જોડાણનું પ્રતીક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા - ઉદયસિંહ ચૌહાણ સાથે આવેલા તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા, આ દરમિયાન બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. ઉદયસિંહ ચૌહાણે ભાજપમાં જોડાવાનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વિકાસલક્ષી રાજનીતિને ટાંક્યું હતું.












Click it and Unblock the Notifications
