પ૦૦થી વધુ જાતના પ૦ હજારથી વધુ રોપાઓનું પ્રદર્શન
અમદાવાદ, 25 જાન્યુઆરી: શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને ખુલ્લો મુક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બાગાયત ખાતાના સંયુક્ત ઉ૫પક્રમે યોજાયેલા આ ફલાવર શો માં અંદાજે પ૦ હજારથી વધુ રોપાઓને પ્રદર્શિત કરાયા છે.
આ ફલાવર શો ને ખુલ્લો મુકતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો ફ્લાવર શો સર્વપ્રથમ યોજાયો છે. વિદેશમાં ફૂલોની નિકાસ કરતા ખેડૂતો વચ્ચે સ્પર્ધાનું પણ આયોજન અહીં કરાયું છે. જેના પગલે ફૂલોનું ઉત્પાદન અને નિકાસનું પ્રમાણ વધશે. મંત્રીએ જણાવ્યું હતું કે, ફૂલોના શોખીન નગરજનો માટે પણ આ પ્રદર્શન દર્શનીય બનશે.

ગ્લોબલ વોર્મિંગનો પડકાર વિશ્વ સમધા ઊભો થયો છે ત્યારે તેના પડકાર માટે આ ફ્લાવર શો એક આગવું પીઠબળ પુરું પાડશે. આ સ્થળે ૧૬ હજાર જેટલા રંગબેરંગી પુષ્પોથી બનાવાયેલી “SAVE TREE” તથા હાથી-મોર જેવા પશુ-પક્ષીઓની ફૂલોથી બનાવાયેલી પ્રતિકૃતિ આગવું આકર્ષણ બની હતી. આ ફ્લાવર શો ર૯મી જાન્યુઆરી, ર૦૧૩ સુધી ચાલનાર છે.
આ પ્રસંગે મેયર અસિતભાઈ વોરા, ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓ, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
