Biporjoy Cyclone Update : બિપોરજોય ચક્રવાતને કારણે 44000 લોકોનું કરાયું સ્થળાંતર, જાણો દસ મોટી અપડેટ
Biporjoy Cyclone Update : ચક્રવાત બિપોરજોય ગુરૂવારના રોજ જખૌ પર ટકરાશે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર અને પાકિસ્તાનના દરિયાકિનારા પર તબાહી મચાવે તેવી સંપૂર્ણ શક્યતા છે.
આ સાથે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 15 જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અમુક સ્થાન પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

ચક્રવાત બિપોરજોય સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ
સત્તાવાળાઓએ મંગળવારના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક શક્તિશાળી ચક્રવાત બિપોરજોયના સંભવિત લેન્ડફોલ પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 44,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડ્યા હતા.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ઘણી ટીમો તૈયાર છે. આ સાથે સેનાના અધિકારીઓએ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. સેનાએ વ્યૂહાત્મક સ્થળોએ પૂર રાહત ટીમોને તૈયાર રાખી છે.
વાવાઝોડાને પગલે તૈયારીઓની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત સરકારને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાની વ્યવસ્થા કરવા અને પાવર, ટેલિકોમ, આરોગ્ય અને પીવાના પાણી જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું. આવશ્યક સેવાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, અમે પહેલાથી જ દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે, જેમને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં વિવિધ જિલ્લા વહીવટીતંત્રોએ લગભગ 44,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કર્યા છે.
અમદાવાદના હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ચક્રવાત 15 જૂનની સાંજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે કચ્છમાં જખૌ બંદર નજીકના માંડવી પર 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સંભાવના છે. આ સાથે પાકિસ્તાનના કરાચી વચ્ચે ક્રોસિંગ થાય તેવી શક્યતા છે.
IMD દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદના IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ચક્રવાત પછાડ્યા બાદ અને નબળું પડ્યા પછી, તે ઉત્તરપૂર્વ અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 15-17 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.
બચાવ કામગીરી બે તબક્કામાં ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં દરિયાકાંઠાની 5 થી 10 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવશે.
ચક્રવાતને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 17 NDRF અને 12 SDRF ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં સાવચેતીના પગલા તરીકે 69 ટ્રેનો રદ્દ કરી છે, 32 ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાનથી ટૂંકી રોકી છે અને 26 અન્ય ટ્રેનોને ફરીથી શેડ્યૂલ કરી છે.












Click it and Unblock the Notifications
