ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 5439 પક્ષીઓ ઘાયલ થયા, 4939 પક્ષીઓનો જીવ બચાવવામાં સફળતા
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓ માટે 'કરુણા અભિયાન' આશીર્વાદરૂપ સાબિત થયું છે. રાજ્યભરમાં આ અભિયાન હેઠળ હજારો પક્ષીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરથી મળતી માહિતી મુજબ, ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના દિવસે સમગ્ર રાજ્યમાં કુલ ૫,૪૩૯ ઈજાગ્રસ્ત પક્ષીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાં વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સઘન બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
રાહતની વાત એ છે કે, સારવાર હેઠળ આવેલા પક્ષીઓમાંથી ૪,૯૩૭ પક્ષીઓનો જીવ બચાવવામાં સફળતા મળી છે. આમ કરુણા અભિયાનના માધ્યમથી અંદાજે ૯૧ ટકા જેટલા પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું છે.
પતંગની કાચ પાયેલી દોરી ઝાડમાં કે અન્ય જગ્યાએ ફસાઈ જવાના કારણે પક્ષીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવાયો છે.
સરકારી તંત્ર, ખાનગી પશુચિકિત્સકો અને સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી આ અભિયાન ૨૦ જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર પક્ષીઓની સારવાર અને સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
