Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 : 26 બેઠક જીતવા ભાજપે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, જાણો વિશ્લેષણ

lok sabha Election 2024 : ગુજરાત ભાજપની રાજ્ય કારોબારીની બેઠકમાં ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

Lok Sabha Election 2024 : ગુજરાત ભાજપની પ્રદેશ કાર્યકારિણી બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કાર્યકારિણી બેઠકમાં સરકાર તરફથી ગેરકાદેસર વ્યાજ ખોરો સામે ચલાવવામાં આવી રહેલા મહાઅભિયાનની ચર્ચા થઇ હતી. વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત માટે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેષ અધ્યક્ષ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીએ લોકસભાનું પરિણામ જાહેર કરી દીધું છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીએ લોકસભાનું પરિણામ જાહેર કરી દીધું છે

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી બે દિવસીય કારોબારીની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ઈન્ચાર્જ રત્નાકર,રાષ્ટ્રીય સહ ખજાનચી અને સાંસદ ડૉ. સુધીર ગુપ્તાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 27 વર્ષના શાસન બાદ ભાજપની સત્તામાં વાપસી અંગે શંકા કરનારાઓને આશ્ચર્યચકિત કર્યા છે. ગુજરાત ચૂંટણીના પરિણામોએઆગામી લોકસભાના પરિણામો નક્કી કરી દીધા છે.

ભાજપ- પાટીલ સામે સત્તા વિરોધી લહેર ન હતી

ભાજપ- પાટીલ સામે સત્તા વિરોધી લહેર ન હતી

પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના વોટ વચ્ચેનો તફાવત ચાર ગણો વધી ગયો છે,2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા વોટ વચ્ચેનો તફાવત 19 લાખ હતો, જે છેલ્લી ચૂંટણીમાં વધીને 80 લાખ થયો છે.

ભાજપનાકાર્યકરો સત્તા મેળવવા ચૂંટણી મેદાનમાં ઉતરે છે, પરંતુ ચૂંટણી જીત્યા બાદ જનહિતના કામમાં લાગી જાય છે, એટલે જ 27 વર્ષથી સતતશાસનમાં હોવા છતાં ભાજપ સામે સત્તા વિરોધી લહેર જોવા મળી નથી.

જનતાનો વિશ્વાસ જીતીને સરકાર બનાવવાનો અમારો સંકલ્પ છે - સુધીર ગુપ્તા

જનતાનો વિશ્વાસ જીતીને સરકાર બનાવવાનો અમારો સંકલ્પ છે - સુધીર ગુપ્તા

ભાજપના રાષ્ટ્રીય સહ-ખજાનચી ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, જનતાનો વિશ્વાસ જીતીને સરકાર બનાવવી અને પછી જનતાને આપેલાવચનો પૂરા કરવાનો અમારો સંકલ્પ છે.

વડાપ્રધાન મોદી ખેડૂતોને આપેલા વચનને પૂરા કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. રાજ્ય પ્રભારીરત્નાકરે જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરીએ વડાપ્રધાન પરીક્ષા અંગે ચર્ચા કરશે, તેમાં વધુને વધુ વિદ્યાર્થીઓને સામેલ કરવાના પ્રયાસોકરવામાં આવશે.

કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો - સંઘવી

કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો - સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ મંત્રાલયની એક વર્ષની કામગીરીની વિગતો રજૂ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નિર્દોષનાગરિકોને વ્યાજના દુષ્ટ ચક્રમાં ફસાવીને હેરાન કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં પોલીસે રાજ્યમાં 1650 લોકદરબારયોજીને 650 થી વધુ કેસ નોંધ્યા છે. સેંકડો શાહુકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એક વર્ષમાં પોલીસે નવ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યા છે. સંઘવીએ ગુનેગારોને ચેતવણીઆપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે કાયદામાં રહેશે, તે ફાયદામાં રહેશે. તમારી પાસે બે વિકલ્પો છે, કાં ગેરકાયદેસર વ્યાજખોરી છોડી દોઅથવા ગુજરાત છોડી દો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X