ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવ્યા ગુજરાત, કરશે કોર કમિટીની બેઠક, સીએમ રૂપાણી સહીત નેતાઓ હાજર
ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ શુક્રવારથી ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. યાદવ એમના પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠનના તમામ મહત્વના આગેવાનો, પ્રદેશના અન્ય નેતાઓ સાથે પણ તબક્કાવાર રીતે બેઠકો યોજીશે. આગામી 2022ની વિધાનસભ
ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ શુક્રવારથી ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. યાદવ એમના પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠનના તમામ મહત્વના આગેવાનો, પ્રદેશના અન્ય નેતાઓ સાથે પણ તબક્કાવાર રીતે બેઠકો યોજીશે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરતા પહેલા સરકાર તથા સંગઠન વચ્ચેનો તાલમેલ જળવાઇ રહે તેના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ કમલમ ખાતે પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રીઓ, કોર કમિટીના સભ્યો સાથે મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં સ્થાનિક ચૂંટણીઓના પરિણામ બાદ તુરંત જ કોરોનાની સ્થિતિમાં સરકાર તથા સંગઠન દ્વારા કરાયેલા કામો, કોરોનાની સ્થિતિ, સરકાર તથા સંગઠન વચ્ચે ક્યાં કોઇ કમી રહી કે કેમ, જનતાનો મિજાજ જેવા પાસાઓ પર ચર્ચા થશે.
કોરોનાની મહામારીમાં રેમડેસિવીર ઇન્જેક્શનોની અછત સર્જાઇ ત્યારે પ્રમુખ સી.આર. પાટીલે પાંચ હજાર ઇન્જેક્શનો મફતમાં વહેંચ્યા હતા. આ બાબતની જાણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ન હતી. કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ આ ઘટના પછી બંને વચ્ચે એક પ્રકારનું જાણે અંતર આવી ગયું છે. કોરોનાની મહામારીમાં પાટીલે ધારાસભ્યો, સાંસદોને પોતાના વિસ્તારમાં જનસેવા માટે કાર્યો શરૂ કરવા સૂચના આપી હતી અને એનો મહદઅંશે જ કેટલાકે અમલ કર્યો હતો. તોક્તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની પાટીલે મુલાકાત શરૂ કરી ત્યાં જ સરકારે કૃષિ સહાય પેકેજની એ જ દિવસે ઓચિંતા જાહેરાત કરી દીધી હતી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ










Click it and Unblock the Notifications
