ભાજપના જયનારાયણ કોગ્રેસમાં જોડાય, સિદ્દપુરની બેઠક કોગ્રેસના ઉમેદવારને જીતાડવા કરી લોકોને અપિલ
ગુજરાત વિધાનસભાની ચૂંટમઈ પહેલા અનેક રાજકીય નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે ત્યારે ભાજપના મોદી શાસનમાં આરોગ્ય મંત્રી રહેલા જયનારાયણ વ્યાસ હવે વિવિધત રીતે કોગ્રેસમાં જોડાઇ ગયા છે. તેમના દ્વારા 20 દિવસ પહેલા ભાજપમાથી રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટમઈ પહેલા અનેક રાજકીય નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે ત્યારે ભાજપના મોદી શાસનમાં આરોગ્ય મંત્રી રહેલા જયનારાયણ વ્યાસ હવે વિવિધત રીતે કોગ્રેસમાં જોડાઇ ગયા છે. તેમના દ્વારા 20 દિવસ પહેલા ભાજપમાથી રાજીનામું આપી દેવામાં આવ્યુ હતુ. જયનારાયણ વ્યાસની ઇચ્છી સિદ્ધપુર બેઠક પરથી ભાજપમાથી ચૂંટણી લડવાની હતી. જયનારાયણ વ્યાસ છેલ્લી બે ટર્મથી તે બેઠક પર હારી જાય છે. તેથી પક્ષ દ્વારા અન્ય ઉમેદવારને તે બેઠખ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્ય હતો.
કોગ્રેસમાં જોડાયા બાદ જયનારાયણ વ્યાસે સિદ્ધપુરની જનતાને કોગ્રેસના ઉમેદવારને મોટી લીડથી જીતાડવા માટે આહવાન કહ્યુ હતુ. જયનારાયણ વ્યાસે ભાજપ ઉપર આકરા પ્રહાર પણ કહ્યા હતા.
જયનરાયણ વ્યાસે આ પહેલા ભાજપ છોડી ત્યારે બંધ બારણે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ સાથે પણ બેઠક કરી હતી. એવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ કે, તે આમ આદમી પાર્ટીમાં જોડાશે.