ભાજપ 1 ઓક્ટોબરથી 'ગુજરાત ગૌરવ યાત્રા' ની શરૂઆત કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાત ભાજપની તૈયારીઓ શરૂ. આગામી ઓક્ટોબર માસથી સમગ્ર ગુજરાતમાં તેઓ 'ગુજરાત ગૌરવ યાત્રા યોજશે'. આ અંગે વધુ વાંચો અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ વિવિધ ચૂંટણીલક્ષી કાર્યકમો કરી રહી છે તેને અનુલક્ષીને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આગામી સમયમાં યોજાનાર 'ગુજરાત ગૌરવ યાત્રા'ના કાર્યોક્રમની જાહેર કરી હતી. 'ગુજરાત ગૌરવ યાત્રા' વિશે વાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ યાત્રા બે વિભાગોમાં વહેચાયેલી રહેશે. જેમાં એકનું નેતૃત્વ તેઓ કરશે અને બીજાનું નેતૃત્વ નીતિન પટેલ કરશે. ગૌરવ યાત્રાનું સમાપન અમદાવાદ ખાતે 16 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

ભાજપની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા. આ બૃહદ કારોબારી બેઠકમાં 3 પ્રસ્તાવ મંજૂર થયા હતા. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વની ઘોષણાઓ કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આગામી 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી 'ગુજરાત ગૌરવ યાત્રા' યોજાશે. જેનું પ્રસ્થાન અમિત શાહના હસ્તે કરાવશે. 45 વિધાનસભામાં ફરનારી આ યાત્રા 4599 કિ.મી.ને આવરી લેશે. આ યાત્રાનું સમાપન 16મી ઓક્ટોબરે PM મોદીની ઉપસ્થિતિમાં થશે.












Click it and Unblock the Notifications
